Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshay Tritiya- અખાત્રીજની પૌરાણિક કથા

Webdunia
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કોઈ પંચાંગ જોયા વિના કરી શકાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કાર્ય નિરર્થક હોતું નથી. આ જ કારણ છે કે લોકો અક્ષય તૃતીયાના દિવસને વૈવાહિક કાર્યક્રમો, ધાર્મિક અનુષ્ઠાન, ગૃહ પ્રવેશ, ધંધો, જપ અને ઘરોમાં પૂજા-અર્ચના કરવા માટે પસંદ કરે છે.

અક્ષય તૃતીયાની વ્રત કથા Akshaya tritiya vrat katha 
દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારુ પૂરતો. 
 
ઘરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા - હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે. 
 
અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ. 
 
ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી. 
 
સર્વસ્વનુ દાન કરી ઘરમચંદ પૂર્ણ શ્રધ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી. 
 
આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસ વતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી. 
 
જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે,તેના ભંડાર સદા ભર્યા રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને કરો ખરીદી, મળશે શુભ ફળ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

આગળનો લેખ
Show comments