Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાંડો ફૂટ્યો, અમદાવાદના આ વિસ્તારોમાં નોંધાયેલ કોરોનાના 452 કેસ તંત્ર છુપાવવા માંગતું હતું

Webdunia
શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:10 IST)
મે મહિના પછી પહેલીવાર અને તે પણ માત્ર બે જ વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં કોરોનાના 452 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બુધવારે બોડકદેવમાં અંદાજે 12 હજાર ટેસ્ટ કરાયા હતા જેમાં 190 પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ગુરુવારે ચાંદલોડિયામાં પણ આટલા જ ટેસ્ટ કરાયા જેમાં 262 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા કેટલાય મહિનાથી મ્યુનિ. કોરોનાના સાચા આંકડા છુપાવે છે. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે ત્યારે એક અધિકારીએ આ ભાંડો ફોડી નાખ્યો હતો. કમિશનર અને ઉચ્ચ અધિકારીએ આ અધિકારીને તતડાવ્યા હતા. સત્તાવાર યાદીમાં કોરોનાના કેસ માત્ર 148 અને બુધવારે 149 મળી બે દિવસમાં 297 કેસ જાહેર કર્યા હતા. સંખ્યાબંધ વોર્ડમાં 3 હજારથી 10 હજાર સુધી રોજના ટેસ્ટ કરવા માટેનો ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે. જો કે, મ્યુનિ.ના એક પણ અધિકારી આ મામલે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને આટલા કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર જ દિવસમાં ચાંદલોડિયામાં 14 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ એસવીપી, શારદાબહેન અને એલજી હોસ્પિટલમાં પણ 60 ડોક્ટરો પોઝિટિવ મળ્યા હતા. જેમાં એસવીપીના 22, એલજીના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરનો સમાવેશ થાય છે. બોડકદેવ વોર્ડમાં બોડકદેવ તેમજ આંબલીનો સમાવેશ થાય છે. બંનેના અર્બન હેલ્થ સેન્ટરમાં 12 હજાર ટેસ્ટ થયા હતા. એ જ ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા અને ઓગણજનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments