Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Ji: શ્રાવણના મંગળવારે હનુમાનજીની પૂજા દૂર કરશે સંકટ, આ મંત્રોથી હનુમાનજીને કરો પ્રસન્ન

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (07:56 IST)
Shree Hanuman Ji: હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ ઉત્તમ સંયોગ બની રહ્યો છે. પંચાગ મુજબ 10 ઓગસ્ટ 2021, મંગળવારે શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે. આ દિવસે ચંદ્રમાં સિંહ રાશિ અને નક્ષત્ર મઘા રહેશે. 
 
પૌરાણિક કથા અનુસાર, હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ મંગળવારે થયો હતો. તેથી જ મંગળવાર હનુમાનજીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.
 
શ્રાવણમાં હનુમાન પૂજાનું મહત્વ
 
શ્રાવણ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે પૂજા અને અભિષેક કરવાથી ભોલેનાથ બહુ જલ્દી પ્રસન્ન થાય છે.
 
હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે
 
હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાન જી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
હનુમાનજીની પૂજા અને ઉપવાસમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હનુમાનજીની પૂજામાં કેટલાક નિયમો અને શિસ્તનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મંગળવારે ગુસ્સો અને અહંકાર ન કરવો જોઈએ. આ દિવસે ખોટા કાર્યો ન કરવા જોઈએ. માંસ અને દારૂનું સેવન ભૂલથી પણ કરશો નહીં. મંગળવારે હનુમાન ચાલીસા સાથે આ મંત્રોનો પણ જાપ કરવો જોઈએ-
 
ૐ હં હનુમન્તે નમ
ૐ હં હનુમતે રુદ્રાત્મકાયં હું ફટ્ 
ૐ હં પવનનંદાય સ્વાહા 
ૐ નમો હરિ મર્કટાય સ્વાહા 
ૐ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments