rashifal-2026

Randhan Chhath 2024 - આજે રાંધણ છઠ, કેમ ઉજવાય છે છઠ ? જાણો આ દિવસનુ મહત્વ અને આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (08:07 IST)
randhan chhath
વર્ષ 2023 માં રાંધણ છઠ ક્યારે છે ? 
 
રાંધણ છઠ 2024 - 24 ઓગસ્ટ શનિવાર
શીતળા સાતમ   -   25 ઓગસ્ટ રવિવાર 
 
રાંધણ છઠનો ઈતિહાસ
ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટાભાઈનો જન્મ થયો હતો. ભાદરવાના કૃષ્ણ પક્ષ ના દિવસે પડનારા આ દિવસ ને રાંધણ છઠના નામથી ઓળખવામાં આવે છે.  તેથી આ દિવસે પણ વ્રત અને ભગવાનની પૂજા કરવાનુ વિધાન છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.  
 
આ શુભ તહેવારને હળષષ્ટી, હળાછઠ, હળછઠ વ્રત, ચંદન છઠ, તિનચ્છી, તિન્ની છઠ, લલ્હી છઠ, કમર છઠ કે ખમાર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે.  સાથે જ આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે. 
 
રાંધણ છઠના દિવસે શુ કરવામાં આવે છે ?
 
- શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. તેથી જ ઘરની મહિલાઓ છઠના દિવસે રાંધીને ભોજન તૈયાર કરે છે.
- તમામ પ્રકારની વાનગીઓ રાત્રે  12 વાગ્યા પહેલા રાંધવામાં આવે છે અને રાત્રે  12 વાગ્યા પહેલા સ્ટવ બંધ કરી દેવામાં આવે છે. 
-  ત્યાર બાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે, બીજા દિવસે એટલે કે શીતળા સાતમ રાત્રે બાર વાગ્યા પછી શરૂ થાય છે.
-  આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીનો દિવસ છે.
- આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસના દૂધનું સેવન કરવામાં આવે છે.
- આ ઉપરાંત ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામના શસ્ત્ર 'હળ'ની પૂજા કરવામાં આવે છે.
- વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે.
- રાંધણ છઠના દિવસે વિશેષ વ્યંજન બનાવવામાં આવે છે 
- આ દિવસે જે ખાવાનુ બને છે તે 24 કલાક રહે છે. બધી મહિલાઓ તેમા લાગી જાય છે. કેટલાક લોકોને મસાલેદાર અને કેટલાકને તળેલુ ભાવે છે. 
- આ દિવસે બનનારુ ખાવાનુ રોજ કરતા જુદુ હોય છે. લોકો આ દિવસે ક્ષેત્રીય ઉપરાંત કેટલાક એવા વ્યંજન પણ બનાવે છે જે વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય. 
 - આ દિવસે બનનારા વિશેષ  વ્યંજનમા જેવા કે મીઠાઈ, પફ, ગુલાબ જામુન, શક્કરપારા, મોહનથાળ, શાક, ભરેલા મરચાં, બાજરીના રોટલા, વિવિધ પુરી, થેપલા, મીઠા ઢેબરા, પરાઠા, તીખા ઢેબરા, સાબુદાણા ખીચડી, મમરા, વડા, શીરા. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી, સેન્ડવીચ, દાબેલી, દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે.
 
આ દિવસે શુ ન કરવુ ?
 
- આ દિવસે બનતી રસોઈ શીતળા માતાનો પ્રસાદ પણ કહેવાય છે તેથી શાંત રહીને રસોઈ બનાવવી 
- થોડી રસોઈ ચાખ્યા વગરની શુદ્ધ રાખવી જેનો બીજા દિવસે ભોગ લગાવી શકાય 
- રસોઈ 12 વાગ્યા પહેલા પુરી કરી લેવી. 12 વાગે ચુલો ઠંડો થઈ જવો જોઈએ 
- રાંધણ છઠના દિવસે કોઈપણ પ્રકારની નોનવેજ વસ્તુઓ બિલકુલ બનાવવી કે ખાવી નહી  
- રસોઈ બનાવવામાં ગાયના દૂધ કે દહીનો ઉપયોગ ન કરવો 
 
 
કેવી રીતે ઉજવે છે રાંધણ છઠ  ?
 
આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને અને છઠ્ઠી માની આકૃતિને યોગ્ય દિશામાં મુકીને દેવીની પૂજા કરે છે. પૂજામાં દહીં, ચોખા અને મહુઆનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
 
છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ દિવસે મહિલાઓ ભેંસનું દૂધ, ઘી અને દહીંનો ઉપયોગ કરે છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી. આ ઉપરાંતઆ દિવસે વ્રત જ કરનારી મહિલાઓ મહુવાના દાંતણથી દાંત સાફ કરે છે.
 
ટાઢુ (ઠંડુ કે વાસી) ખાવાનુ મહત્વ 
 
શીતળા સાતમનુ મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવેલુ છે. શીતળા સાતમનો તહેવાર દેવી શીતલાને સમર્પિત છે. હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. દેવી શીતળા લોકોને ચેચક (મોટી માતા અને નાની માતા) નીકળવા અને તેને ઠીક કરવા માટે ઓળખાય છે. તેથી હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે આ દિવસે શીતળા માતાની પૂજા કરે છે. શીતળા શબ્દનો અર્થ છે ઠંડુ અને એવુ માનવામાં આવે છે કે દેવી પોતાની શીતળતાથી રોગ ઠીક કરે છે. 
 
તેથી તેના એક દિવસ પહેલા રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને સંગ્રહિત કરવામાં આવે છે. 
 
આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે
 
આ વ્રતમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
આ વ્રત દરમિયાન ગાયનું દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી.
આ સાથે ગાયનું દૂધ અથવા દહીંનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે.
આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.
ઉપરાંત, કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments