Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીનો છોડ લગાવતા પહેલા જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Webdunia
મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (12:51 IST)
તુલસીના છોડનુ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવ્યુ છે. મોટાભાગના લોકોને ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી એક આયુર્વેદિક દવાના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે. તુલસીનો છોડ સમૃદ્ધિનો પ્રતિક છે.  તુલસીનો છોડ બુધનુ પ્રતિનિધિત્વ કરે છે.  જેને ભગવાન કૃષ્ણનુ એક સ્વરૂપ માનવામાં આવે છે.  કૃષ્ણ ભગવાનને તુલસી સૌથી વધુ પ્રિય છે. જોકે તુલસીનો છોડ ઘરમાં લગાવવાના અને તેની પૂજાના કેટલાક નિયમો છે જેનુ પાલન કરવુ જોઈએ. તો આવો જાણીએ આ નિયમો 
 
 
-ઘણા લોકો તુલસી આગળ સવાર સાંજ દીવો પ્રગટાવે છે. કારણ કે તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવે છે.  ભગવાન વિષ્ણુની પૂજન પદ્ધતિમાં તામસિક રીતનો ઉપયોગ નથી કરાતો. ભગવાન વિષ્ણુની પૂજા રાજસિક કે સર્વાધિક પ્રિય સાત્વિક રીતે કરવામાં આવે છે.  એવુ કહેવાય છે કે જે લોકો માસનુ સેવન કરે છે તેમણે ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ.. 
 
 
- ક્યારેય પણ તુલસીને દક્ષિણ દિશામાં ન મુકવો જોઈએ. કારણ કે આ દિશામાં મુકવામાં આવેલ તુલસી હંમેશા અશુભ ફળ આપે છે. તુલસીને હંમેશા ઉત્તર દિશામાં જ લગાવો. જેને બુધની દિશા માનવામાં આવે છે. 
 
- તુલસીને ક્યારેય પણ જમીનમાં ન લગાવવી જોઈએ. તુલસીને હંમેશા કુંડામાં જ લગાવવી જોઈએ. જમીનમાં તુલસી લગાવતા તે અશુભ ફળ આપવુ શરૂ કરે છે. જેની અસર ઘરના સભ્યોના આરોગ્ય પર પડે છે. 
 
- રવિવારના દિવસે ક્યારેય તુલસીની પૂજા-અર્ચના ન કરવીજોઈએ કે ન તો તુલસીના પાન તોડવા જોઈએ. બાકી દિવસોમાં પણ ર્તુલસીના પાન સૂર્યાસ્ત પછી ન તોડવા જોઈએ.  
 
-તુલસીનો છોડ હંમેશા ઘરના આંગણમાં, ઘરની વચ્ચે કે ઘરની પૂર્વોત્તર કે ઉત્તર દિશામાં મુકવો જોઈએ. આ દિશાને ઈશ્વરની દિશા માનવામાં આવે છે. આ સ્થાન પર તુલસી સૌથી વધુ શુભ પરિણામ આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments