Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaishakh Purnima 2024: વૈશાખ પૂર્ણિમાના દિવસે આ શુભ મુહૂર્તમાં કરશો સ્નાન-દાન, તો પિતૃઓના મળશે આશીર્વાદ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Webdunia
બુધવાર, 22 મે 2024 (09:11 IST)
Vaishakh Purnima 2024 Date: 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા ઉજવવામાં આવશે. વૈશાખ પૂર્ણિમાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાની પણ પરંપરા છે. જે વ્યક્તિ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે અને કથાનો પાઠ કરે છે. તેમજ જો કોઈ વ્યક્તિ ભગવાનને કેળાની શીંગો, તુલસીના પાન વગેરે અર્પણ કરે તો તેના પરિવારમાં હંમેશા સુખ-શાંતિ રહે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવું પણ પુણ્યકારી કહેવાય છે. તો ચાલો જાણીએ વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય કયો રહેશે અને આ દિવસે શું કરવું ફળદાયી રહેશે.
 
વૈશાખ પૂર્ણિમા 2024 સ્નાન અને દાન માટેનું  શુભ મુહુર્ત 
હિન્દુ કેલેન્ડર મુજબ, વૈશાખ પૂર્ણિમા શરૂ 22 મે 2024ના રોજ સાંજે 6.47 વાગ્યે 
પૂર્ણિમા તિથિ સમાપ્ત 23 મેના રોજ સાંજે 7.22 કલાકે 
સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત  - વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે 4.04 વાગ્યાથી શરૂ. 
સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 4.04 થી 5.45 સુધી રહેશે.
 
વૈશાખ પૂર્ણિમાના દિવસે કરો આ કામ, પૂર્વજો રહેશે પ્રસન્ન 
- પૂર્ણિમાના દિવસે પાણી, છત્રી, અનાજ, ફળ અને વસ્ત્રોથી ભરેલુ માટીનું વાસણ દાન કરો. આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
 
- વૈશાખ પૂર્ણિમાના દિવસે એક લોટાપાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે.
 
- પૂર્ણિમાના દિવસે કાગડા, પક્ષી, કૂતરા અને ગાય માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરો. પશુ અને પક્ષીઓને પાણી અને અનાજ ખવડાવવાથી પિતૃઓ  તૃપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ જીવો દ્વારા પૂર્વજો પાણી અને અન્ન ગ્રહણ કરે છે.
 
- વૈશાખ પૂર્ણિમાના દિવસે  ગંગા નદીમાં સ્નાન કરો અને પછી ગરીબોને દાન કરો. જો આ શક્ય ન હોય તો ઘરનાં પાણીમાં ગંગા જળને મિક્સ કરીને સ્નાન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments