Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangal Dosh Upay - મંગળના બધા દોષોનુ નિવારણ કરવા કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (08:11 IST)
Mangal Dosh જ્યોતિષીય માન્યતામાં મંગળનુ ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે જે જાતકની કુંડળીના 1, 4 હોય, 7 માં અને 12 માં વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ દોષ પણ કહેવામાં આવે છે.  ક્યાક ક્યાક તો આ અંગારક દોષનુ સ્વરૂપ પણ લઈ લે છે. આવા જાતકોને વિવાહમાં મોડુ, મોડેથી ભાગ્યોદય, નોકરી વ્યાપારમાં પરેશાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આવા જાતકો માટે મંગલ દોષ નિવારણ જ એક ઉપાય હોય છે. આ નિવારણ ભાત પૂજનથી શક્ય થઈ શકે  છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેનુ નિવારણ કરવામાં આવે છે.  મોટા ભાગના સંખ્યામાં શ્રદ્ધાળુ ઉજ્જૈનના મંગળનાથ મંદિર આવીને ભાતપૂજન કરાવે છે. આ મંદિરના નજીક શિપ્રા કિનારે આવેલુ છે  અંગારેશ્વર મહાદેવ. અહી પણ મંગળ દોષ નિવારણ માટે ભાત પૂજા કરાવવામાં આવે છે.  
 
એવુ કહેવાય છે કે ભગવાન શિવે એક અસુરનો સંહાર કર્યો હતો. આ દરમિયાન ભગવાન શિવનો પરસેવો ઘરતી પર પડી ગયો.  ભગવાન શિવના પરસેવાની બૂંદથી અંગારક જનમ્યા. તેમના ઘરતી પર ઉત્પન્ન થતા જ ઘરતી પર ગરમી વધી ગઈ અને લોકો હાહાકાર કરવા લાગ્યા. ત્યારે દેવ અને ઋષિ ભગવાન શિવ અને શ્રી વિષ્ણુની પાસે ગયા અને તેમને આરાધના કરવાનુ કહ્યુ. જ્યાર પછી ભગવાને પ્રસન્ન થઈને ઔરવે અંગારેશ્વર સ્વરૂપમાં આ ક્ષેત્રમાં વિરાજમાન થયા. અહી મંગળદોષના નિવારણ નિમિત્ત પૂજન અર્ચન કરવા અને ભાત પૂજન કરાવવાથી શાંતિ મળે છે સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ પણ થાય છે.  ત્યારબાદ શ્રદ્ધાળુના લગ્ન શીધ્ર થઈ જાય છે અને તેમનુ ભાગ્યોદય થવા માંડે છે. સાથે જ મંગળના બધા દોષોનુ નિવારણ થાય છે. આ ઉપરાંત તેમને લાલ વસ્ત્રોનુ દાન અને મસૂરની દાળનુ દાન પણ ખૂબ જ લાભકારી હોય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

How To Make Perfect Lassi:- ખાંડ વગર પરફેક્ટ ક્રીમી લસ્સી કેવી રીતે બનાવવી?

World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

આગળનો લેખ
Show comments