Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંકટ ચોથ પર કરો આ કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (15:13 IST)
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને બુધવારે ગણેશજીનો દિવસ હોય છે.  તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે. 
 
ગણેશ ચતુર્થી અને બુધવારે શુદ્ધ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે શુદ્ધ ઘી થી બનેલ લાડુઓ ચઢાવવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તમે કુશ પણ ચઢાવી શકો છો. કારણ કે કહેવાય છે કે ગણપતિ ખૂબ સીધા છે અને તેમને પ્રસન્ન થવામાં વાર નથી લાગતી. કુશ થી જ ભગવાન પ્રસન્ન થઈને તમારી ઈચ્છા પુર્ણ કરે છે.  
 
શ્રી ગણેશની વિશેષ મંત્રો દ્વારા પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવી છે. વિઘ્ન અને સંકટોથી બચીને જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓને પુરા કરનારી માનવામાં આવી છે. ૐ ગણેશાય નમ: અને શ્રી ગણેશાય નમ: આ બે મંત્ર એવા છે જેમનો ઉપયોગ હિન્દુ ધર્મમાં સદીયોથી થતો આવ્યો છે. 
 
તણાવ અને જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ચતુર્થી અને બુધવારના દિવસે હાથીને ચારો ખવડાવો. 
 
ગણેશ યંત્રને ઈચ્છાપૂર્તિ યંત્ર કહેવામાં આવે છે. આજના દિવસે ઘરમાં આ યત્રની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી. 
 
ૐ ગં ગણપતયે નમો નમઃ સિધ્‍ધી વિનાયક નમો નમઃ...
શ્રી સિદ્ધિવિનાયક નમો નમ: અષ્ટવિનાયક નમો નમ:...
ગણપતિબાપ્પા મોરિયા...  
 
ગણપતિ અથર્વશીર્ષ
 
અનંત પુણ્ય આપનારો આ પાઠ ખોલશે  છે તમામ સુખોના દરવાજા, આજે ગણપતિની ઉપાસના આ પાઠ દ્વારા કરો અને પુણ્યનું ભાથું બાંધી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

આગળનો લેખ
Show comments