Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rakshabandhan 2019- રક્ષાબંધનમાં આ રીતે સજાવો રાખડીની થાળી તમારા ભાઈ માટે

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (00:42 IST)
આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 15  ઓગસ્ટ 2019 ગુરૂવારે ઉજવાશે. હિંદું કેલેંડર મુજબ દરેક વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિને રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર ભાઈ બેનના આપસી રિશ્તા અને પ્યારને દર્શાવે છે. તેથી બેન તેમના ભાઈની કળાઈ પર વિશ્વાસનો દોરા બાંધે છે અને તેનાથી તેમની રક્ષા કરવાનો વચન માંગે છે. 
હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધનનો શુભ મૂહૂર્ત સવારે 5:49 થી સાંજે 6:01 વાગ્યા સુધી,  ઉત્તમ મુહુર્ત - સવારે 6:00 થી 7:30 સુધી છે.  
આ રીતે સજાવો રાખડીની થાળી 
રક્ષાબંધનના દિવસે બેન સવારે જલ્દી ઉઠી જવું. નહાઈ ધોઈને સાફ વસ્ત્ર પહેરી લો અને થાળીમાં સજાવવા માટે આ વસ્તુઓ એક જગ્યા પર એકત્રિત કરી લો. રાખડી, કંકુ, હળદર, અક્ષત(ચોખા), મિઠાઈ વગેરે. હવે એક એક કરીને તમારા મન મુજબ આ બધી વસ્તુઓને થાળીમાં સજાવો. અંતમાં થાળીમાં ઘી નાખેલું દીવો પણ રાખવું. જેને રાખડી બાંધતા સમયે જ પ્રગટાવો. 
 
આ રીતે બાંધવી રાખડી 
થાળીમાં કંકુનો પ્રયોગ સૌથી પહેલા સ્વસ્તિકનો નિશાન બનાવો. હવે હાથમાં થોડો કંકુ લેતા ભાઈને સૌથી પહેલા ચાંદલો કરવું. ચાંદ્લાના ઉપર અક્ષત લગાવો અને કેટલાક અક્ષત ભાઈના માથા ઉપર ફેંકવું. આવું કરવું શુભ માને છે. ત્યારબાદ રાખડી બાંધવી. મિઠાઈ ખવડાવી અને ભાઈથી પોતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવું. 
આ દિવસે બેન વ્રત પણ રાખે છે. કેટલાક નિર્જલા ઉપવાસ કરે છે તો કેટલીક સામાન્ય ફળાહાર લેતા વ્રતના નિયમોનો પાલન કરે છે. આવું નથી કે રક્ષાબંધન પર બેન જ વ્રત કરી શકે છે. ભાઈ ઈચ્છે તો એ પણ બેનના સુખ માટે વ્રત કરી શકે છે. રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા તિથિ હોય છે તેથી આ દિવસે કોઈ પણ વ્રત કરીએ તો શુભ જ ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકથી એક મહિના પહેલા શરીર આપે છે આ પ્રકારના સંકેત, નિષ્ણાત પાસેથી જાણો જરૂરી ચેતાવણી

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments