Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nag panchami 2024 - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2024 (13:10 IST)
Nag panchami 2024 - નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. 
 
- માન્યતા  છે કે નાગપાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો નહી રાખવું જોઈએ.
 
કહેવાય છે કે  આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે  તેથી આ દિવસે ભૂમિ  ખોદવી કે  હળ ચલાવવું  ન જોઈએ 
 
આ દિવસે કપડા સીવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. 
 
આ સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરન અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પચમીનાં દિવસે શું કરવુ  ? 

નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીને ચાંલ્લો કરવામાં આવે છે. આ સાથે કુલેરથી પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે વાંચવાનું પણ મહત્વ રહેલું હોય છે. તો તમે પણ આ રીતે કુલેર બનાવો.
 
સામગ્રી - એક કપ બાજરીનો લોટ અડધો કપ ગોળ
બનાવવાની રીત - નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો. આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ ચાકુની મદદથી છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે.
હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો.
 
મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

સવારે ખાલી પેટ આ 3 વસ્તુઓનું કરો સેવન, તમારા શરીરને મળશે અઢળક ઉર્જા, જાણો શુ છે ફિટનેસનુ સિક્રેટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments