Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશ્વર્ય અને ખ્યાતિમાં વૃદ્ધિ માટે રવિવારે કરો આ મંત્રનો જાપ

Webdunia
રવિવાર, 31 મે 2020 (09:21 IST)
રવિવારે સૂર્યદેવની પૂજા કરવાનુ વિધાન છે.  તેમની પૂજા અને મંત્ર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને રોગમુક્ત શરીર, એશ્વર્ય અને ખ્યાતિ મળે છે અને ભાગ્ય સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
 
પૂજન વિધિ  - રવિવારના દિવસે ખુલ્લા આકાશ નીચે બેસો. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને શુદ્ધ ઉનથી બનેલ આસન પર વિરાજમાન થયા પછી કાળા તલ, જવ, ગૂગળ, કપૂર અને શુદ્ધ ઘીને મિક્સ કરીને હવાન બનાવો. હવે કેરીના ઝાડની લાકડીઓથી આગ પ્રજવલ્લિત કરીને કથિત મંત્રનો જાપ કરી 108 આહુતિયો આપો. 
મંત્રનો જાપ કરો 
 
રવિવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો, દુખ-દરિદ્રતાનો નાશ અને બીમારી તેમજ દોષોથી મુક્તિ મળે છે. 
 
ૐ હ્વીં ઘૃણિ: સૂર્ય આદિત્ય: ક્લી ૐ 
 
આસન પર બેસીને આ મંત્રનુ 100 વાર ઉચ્ચારણ કરો. જાપ કરતી વખતે બંને આઈબ્રોની વચ્ચે સૂર્યદેવનુ ધ્યાન કરો. 11 દિવસ આ રીતે કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. 
 
મંત્રના સમયનુ રાખો ધ્યાન 
 
- રોજ સ્નાન વગેરે પછી તાંબાના પાત્રમાં જળ ભરીને આ મંત્રનુ ઉચ્ચારણ કરી સૂર્યદેવને અર્ધ્ય આપો. 
- અર્ધ્ય આપતી વખતે જળ ધરતી પર ન પડે આ માટે એક વધુ તાંબાનું વાસણ નીચે મુકો. 
- ઉપરોક્ત મંત્રનો 108 વાર જાપ કરો. 
- આવુ કરવાથી જીવન, સ્વાસ્થ્ય, એશ્વર્ય અને ખ્યાતિમાં વધારો થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ ગુણોથી ભરપૂર હિંગની કચોરી ઘરે બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments