Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી

Webdunia
સોમવાર, 8 માર્ચ 2021 (15:47 IST)
હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે  આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે.  જો તમને અનેક પ્રયસો પછી પણ સફળતા ન મળી રહી હોય તો એકાદશીન દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારુ ભાગ્ય બદલાય શકે છે. 
તો આવો જાણીએ આ ઉપાયો  
 
- અગિયારસને સાંજે તુલસી સામે ગાયના ઘી નો દીવો લગાવો અને ૐ વાસુદેવય નમ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે અને સંકટ નથી આવતુ. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફુલ જરૂર અર્પિત કરો.  તેનાથે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખીને ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે છે. 
 
- એકાદહી પર પીળા રંગના ફુલ કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીબોને દાન કરી દો 
 
- એકાદશી પર પીપળના વૃક્ષ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એકાદશી પર પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવાથી કર્જથી મુક્તિ મળે છે. 
 
- અગિયારસના દિવસે સુહાગન સ્ત્રીને તમારી ઘરે બોલાવીને તેમને ફળાહાર કરાવો અને તેમને સુહાગની સામગ્રી ભેટ કરો 
 
- ધન લાભ માટે એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- એકાદશીની સવારે સ્નાન વગેરે પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક  કરો. શ્રીમદ્દ ભાગવત કથાનો પાથ કરવાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે 
 
- એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ધન લાભ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાશ્મીરી યખની રેસીપી

સાસુ સાથે કેવી રીતે રહેવું ? સંબંધોમાં કડવાશ ઘટાડવા માટે તમે શું કરી શકો છો?

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Happy Birthday Gujarat : મુંબઈમાંથી કઈ રીતે અલગ થયું ગુજરાત અને મહારાષ્ટ્ર ?

જય જય ગરવી ગુજરાત - માથુ આપીશું પણ આબરું નહીં આપીએ - સરદાર વલ્લભભાઈ પટેલ

વધુ જુઓ..

નવીનતમ

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી ચાલીસા

Vaishakh Purnima: જળ તત્વની રાશીઓ માટે 1 મેં નો દિવસ છે વરદાન જેવો, કરશો આ કામ તો માં લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 મે 2026

આગળનો લેખ
Show comments