Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (00:13 IST)
ગણેશ ઉત્સવના દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે અને કાર્યોમાં આવતા અવરોધ પણ દૂર થાય છે.  આજે અમે તમને ગણેશજીના એવા કેટલાક મંત્રો જણાવીશુ જેનો જાપ  ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ....
 
ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે. તેમાં પણ આવતી કાલે છે ગણેશ ચતુર્થીનો પર્વ તો આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની શુભ શરૂઆત તમે કરી શકો છો.
 
ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ઘરમાં શ્રીગણેશ પધાર્યા હોય તો રોજ આ મંત્રનો જાપ જરૂર કરો. તેવી જ રીતે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર
 
1.  ઈચ્છાપૂર્તિ માટેનો મંત્ર - માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
 
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા
 
2. જીવનના અવરોધો અને નિરાશા દૂર કરવા -  નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજના આ મંત્રનો જાપ કરો 
 
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:
 
3. ધન અને આત્મબળ વધારવા -  વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે શ્રી ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. 
ॐ ગં નમ:
 
4. રોજગાર માટે -  રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવો.
 
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

New Baby names Girls - બાળકોના સુંદર નામ

વધુ જુઓ..

નવીનતમ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

આગળનો લેખ
Show comments