Webdunia - Bharat's app for daily news and videos

Install App

હીરાબાના નિધન બાદ આખું વડનગર શોકમગ્ન, વેપારીઓએ બે દિવસ બંધ પાળ્યો

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (11:10 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના નિધનથી વતન વડનગરમાં શોકમગ્ન છે. લોકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે તેઓ વડનગરમાં નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા. વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી તેમને શદ્ધાંજલિ આપશે. મહેસાણા જિલ્લાના વડનગરના વેપારીઓ દ્વારા હીરાબાના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડનગર હાલ હીરાબાના નિધનને પગલે શોકમગ્ન છે. આ તરફ વડનગરના સ્થાનિકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે. જેને લઈ હવે વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી શ્રધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments