Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ind vs Aus: સિડનીમાં હનુમા વિહારી બન્યા સંકટ મોચન, લંગડાતા રમ્યા અને ટેસ્ટને ડ્રો કરાવી

Webdunia
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (17:43 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી. આ મેચને ડ્રો કરવામાં આર અશ્વિન અને હનુમા વિહારીએ મોટો ફાળો આપ્યો હતો. હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં અણનમ 62 રનની ભાગીદારી કરી. હનુમા વિહારી ઈજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં 23 રન બનાવ્યા હતા..ઉલ્લેખનીય છે કે હનુમા વિહારી બીજી ઇનિંગમાં બેટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. તે પણ દોડવામાં અસમર્થ હતો, પરંતુ છતાં તેણે લંગડાતા મેચને ડ્રો કરાવી હતી. આ ઇનિંગ્સ માટે હનુમાન વિહારીની આઈસીસીએ પણ પ્રશંસા કરી  છે.
 
સિડની ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે આઇસીસીએ હનુમા વિહારીના શાનદાર રમતને ટ્વીટ કરીને સલામી આપી છે. ચાર મેચની આ સિરીઝ હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. હવે ટીમ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ રમશે. જે જીતશે શ્રેણી તેના નામની થશે. 
 
હેમસ્ટ્રિંગ ઈંજરી સામે લડતાં હનુમા વિહારીએ 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા, જ્યારે બીજી બાજુ પ્રથમ ઇનિંગ્સમાં પેટ કમિન્સની બોલ પર  ઘાયલ થનારા ઋષભ પંતે 118 બોલમાં ઝડપી 97 રન બનાવ્યા. આ બંનેયે પોતાની રમત દ્વારા ઓસ્ટ્રેલિયાના જીતના મનસૂબા પર પાણી ફેરવી દીધુ. 
 
આ સિવાય આર અશ્વિને 128 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ચાર વર્ષ બાદ અશ્વિને ઈનિંગ્સમાં 100 થી વધુ બોલ રમ્યા છે. ચોથી ઇનિંગમાં ભારતને જીતવા માટે 407 રનની જરૂર હતી, પરંતુ ચોથા દિવસે રોહિત શર્મા (52) અને શુબમન ગિલ (31) ના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત લાગી રહી હતી. 
 
આ પછી પાંચમા દિવસે ભારતે શરૂઆતની છ ઓવરની રમતમાં કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવી દીધી હતી. રહાણે ચોથા દિવસે સ્કોરમાં એક પણ ઉમેરો કરી શક્યો નહીં અને ચાર રને પેવેલિયન પરત ફર્યો. રહાણેના આઉટ થયા પછી એવું લાગી રહ્યું હતું કે જાણે બે સત્રમાં જ ઓસ્ટ્રેલિયા મેચ જીતી જશે. પરંતુ આ પછી ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી.
 
પૂજારાએ 205 બોલમાં 77 રન બનાવ્યા અને જોશ હેઝલવુડ આઉટ થયો. આ ઇનિંગ્સમાં તેણે 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ પંતે તેની 118 બોલની રમતમાં 97 રનની તોફાની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ બંનેના કામને હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને પરિણામ સુધી પહોચાડ્યુ. વિહારીએ 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા અને અશ્વિને 128 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા અને 62 રનની ભાગીદારી નોંધાવીને  મેચ ડ્રો કરાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments