Webdunia - Bharat's app for daily news and videos

Install App

લખપતના હરોડામાં વીજળી પડતા ૯૩ પશુઓના મોત થયાં

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (17:00 IST)
લખપત તાલુકાના અંતરીયાળ ગામ એવા હરોડામા મંગળવારે વહેલી પરોઢે વીજળી પડવાના કારણે ૬૯ ઘેટા અને ર૪ બકરાના મોત થયા હતા.  વીજળીના કારણે ગભરાઈ ગયેલા માલધારીને પણ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.  નિત્યક્રમ મુજબ અકીમ હમીરઅલી મંધરા રાબેતા મુજબ તેનુ ઘેટા બકરાનું પશુધન લઈ ચરિયાણ અર્થે ગયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે અચાનક જ વીજળી પડતા સ્થળ પર જ ૯૩ ઘેટા બકરાના મોત થયા હતા. 

માલધારી પરિવારને અંદાજીત ૬ લાખ રૃપિયાનું નુકશાન થયું છે.  ઘટનાના પગલે તાલુકા પશુતબીબ વી.બી.બારોટ અને તલાટી હસનભાઈ લંઘા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યા જ મૃત પશુઓમાંથી અમુકનું પીએમ કરવામાં આવ્યું હતું. વીજળી ત્રાટકવાના કારણે બળી જવાથી તેમના મોત થયાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પશુપાલન આજીવીકા પર નિર્ભર માલધારીને રૃ. પ.પ૮ લાખનું નુકશાન ગયું છે. સરકારી નિયમ પ્રમાણે વીજળી પડવાથી નાના પશુનું મોત થાય તો ઘેટા બકરા દીઠ રૃ. ૩ હજારનો વળતર ચુકવવામાં આવે છે જે રૃ. ર.૭૯ લાખનું વળતર ચુકવવા પાત્ર છે જોકે બજારમાં નાના પશુનો ભાવ છએક હજાર જેટલો છે આમ તેને પ૦ ટકા રકમ વળતર રૃપે મળશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments