Dharma Sangrah

દિલને રાખવુ છે સ્વસ્થ તો ખાવો રસબેરી

Webdunia
મંગળવાર, 17 જુલાઈ 2018 (14:24 IST)
આ નાનકડુ અને મોઢામાં મુકતા જ ઓગળી જનારુ ફળ દિલના આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી દિલ સુધી લોહી પહોંચાડનારી નસો સ્વસ્થ રહે છે.  રસભરી પર બ્રિટનમાં થયેલ એક શોધમાં કહેવામાં આવ્યુ છે કે તેને ખાવાથી દિલની બીમારી થવાનો ખતરો ઓછો થઈ જાય છે. 
 
આ અભ્યાસ કિંગ્સ કોલેજ લંડનના શોધકર્તાએ કર્યો છે. અહીના ધ નેશનલ પ્રોસેસ્ડ રસભરી કાઉંસિલે આ શોધના પરિણામની પ્રશંસા કરી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ગરમીમાં મળનારુ આ ફળ રક્ત ધમનીઓને આરોગ્યપ્રદ રાખે છે અને રક્ત સંચાર સારુ બનાવે છે. આ શોધમાં જર્મની અને સ્પેનના વિશેષજ્ઞ પણ સામેલ રહ્યા. 
 
અભ્યાસ માટે 10 પુરૂષો ને 200 કે 400 ગ્રામ રસભરી ખાવા માટે કે પછી તેનાથી બનેલ ડ્રિંક પીવાનુ કહેવામાં આવ્યુ હતુ. તેમને રસભરી ડ્રિંકથી મેળ ખાતા બે જુદા જુદા પ્રકારના ડ્રિંક પણ પીવા માટે આપ્યા હતા. તેમનો રંગ, સ્વાદ અને તેમા રહેલ પૉલીફેનૉલ્સનુ સ્તર પણ સમાન હતો. શોધકર્તાએ આ કામ એ માટે કર્યુ જેથી તેઓ સમજી શકે કે તેનાથી શરીર પર કેટલી અસર થાય છે. 
 
આ ડ્રિંકને પીતા પહેલા અને પીવાના બે કલાક પછી પ્રતિભાગીઓના લોહી અને મૂત્રનો નમૂનો લેવામાં આવ્યો. રસભરીનુ ડ્રિંક પીનારા હરીફોમાં બે કલાક પછી ફ્લો મેડિટેટેડ ડાયલેશન (એફએમડી) મતલબ રક્ત સંચાર માટે ધમનીઓનુ પ્રદર્શન સારુ હતુ. 
 
ડોક્ટર મુજબ આ અસર હરીફોમાં 24 કલાક સુધી કાયમ રહી.  વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે રસભરી જ એફએમડીમાં આવેલ ફેરફાર કાયમ રાખી શકે છે તો તેનાથી દિલની બીમારી થવાનુ સંકટ 15 ટકા ઘટી જાય છે.  આ અભ્યાસ ધ આર્કાઈવ્સ ઓફ બાયોકેમિસ્ટ્રી એંડ બાયોફિઝિક્સમાં પ્રકાશિત થઈ ચુક્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાજપ સ્થાપના દિવસ: અમિત શાહે 'રાષ્ટ્ર પ્રથમ'નો મંત્ર આપ્યો

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: 10,039 બેઠકો માટે જામશે ખરાખરીનો જંગ, આજથી જાહેરનામું પ્રસિદ્ધ, 26 એપ્રિલે યોજાશે મતદાન

RCB vs CSK : ચેન્નઈને મળી સીઝનની ત્રીજી હાર, RCB એ 43 રનોથી જીતી મેચ

ચીનમાં કંઈક મોટું થવાનું છે! તાઇવાનનું હવાઈ ક્ષેત્ર 40 દિવસ માટે કેમ બંધ કરવામાં આવ્યું છે?

Iran US War live updates: તેહરાનમાં ભીષણ બોમ્બમારો, રહેવાસી ઈમારત પર થયેલા હુમલામાં 13 લોકોનામોત, શરીફ યુનિવર્સિટીને બનાવ્યુ નિશાન

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments