Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંઝાવાલા હિટ એંડ રન - અંજલીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી, રેપના આરોપ અને મોતના કારણને લઈને થયો ખુલાસો

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (15:47 IST)
કંઝાવલા કાંડમાં મૃત યુવતી અંજલીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. તેમા બતાવ્યુ છે કે અંજલી સાથે રેપ નથી થયો અને તેનુ માથુ અને કરોડરજ્જુ ખરાબ રીતે ડેમેજ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અંજલિના માથા પર, કરોડરજ્જુ અને નીચેના અંગોમાં મોત પહેલા વાગવાથી બ્લીડિંગ થયુ હતુ. બધી ધા વાહન અકસ્માત અને ઢસડવાને કારણે વાગવાથી આશંકા બતાવી છે.  આ મામલામાં અંતિમ રિપોર્ટ જલ્દી જ મળશે અને મામલાની તપાસ ચાલુ છે. 
 
દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી તેની બહેનપણી સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. પહેલાં 4 કિમી ખેંચવાનો મામલો સામે આવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.
 
પોલીસે આ ખુલાસો રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજના આધારે કર્યો છે. આમાં મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ પછી બંને સ્કૂટી પર નીકળી જાય છે. આ દરમિયાન એ હોટલના કર્મચારીએ જણાવ્યું હતું કે યુવતીની સાથે તેની બહેનપણી પણ હતી. બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા, તેમણે અલગ રૂમ બુક કરાવ્યો. આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments