Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં શ્રીજી ટાવરમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભયાનક આગ, 100 મકાનો કરાયા ખાલી

Webdunia
સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:26 IST)
અમદાવાદના હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં વિકરાળ આગ લાગી છે. જેમાં ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યાં છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચીને રાહત કામમાં લાગી ગઇ છે.આજે બપોરના સુમારે શહેરમાં આવેલા હિમાલયા મોલની બાજુમાં શ્રીજી ટાવર આવેલું છે. અચાનક ટાવરના ધાબા પરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનામાં આગ એટલી મોટી હતી કે સ્થાનિકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતાં.સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા 4 ટીમો તરત જ આવી પહોંચી હતી. હાલ રાહત કાર્યમાં જોડાયેલા લોકોએ ટાવરમાં આવેલા તમામ ઘરોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાયા છે.ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. સ્થાનિકો પહેલાથી જ તેમના ફ્લેટની નીચે આવેલી ટાયરની દુકાનના વિરોધમાં હતાં.ત્યારબાદ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે એક ઓફિસમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments