Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી ઘરની નકારાત્મકતા દૂર કરો

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2020 (19:06 IST)
જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને સકારાત્મક વિચાર દ્વારા પરાસ્ત કરી શકાય છે. જો આપણે નાની વસ્તુઓ વિશે સકારાત્મક વિચાર કરીએ, તો આપણે ઘણી મુશ્કેલીઓને સરળ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ,  પરિવારની પ્રગતિ માટે કુટુંબના દરેક વ્યક્તિની   વિચારશીલતા સકારાત્મક  હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુમાં તે માટે કેટલાક સરળ ઉપાય બતાવ્યા છે. ચાલો જાણીએ તેના વિશે...  
 
- તે આનંદનો સમય હોય કે દુ:ખના  દિવસ હોય, દરરોજ સવારે તમારા પ્રિય ભગવાનનો આભાર માનો  હંમેશા ભગવાન પર ભરોસો રાખો. ભગવાનમાં વિશ્વાસ રાખો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે.
 
- ઘર હંમેશાં સાફ રાખો. ગંદકી કચરો નકારાત્મક ઉર્જાને વધારે છે. સવારે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશવા દો. સૂર્યોદય પછી ઘરમાંય કોઈ સૂઈ ન જાય તેનુ ધ્યાન રાખો.   ધ્યાન રાખો કે ઘરમાં કોઈ ક્લેશ ન થાય.
- જો ઘરની આજુબાજુ કોઈ સુકા ઝાડ હોય તો તેને કાપી નાખો. ઘરમાં સુકા ફૂલો ન રાખશો.
- જ્યારે સાવરણીનો ઉપયોગ ઘર અથવા ઓ ફિસમાં થતો ન હોય ત્યારે તેને આંખોની સામેથી દૂર કરો.
- ઘરમાં રહેલો બિનજરૂરી સામાન સ્ટોર રૂમમાં જ મુકો. .
- ઘરમાં  ગણેશજીની તસ્વીર સ્વસ્તિક, ઓમ અથવા આશીર્વાદ મુદ્રામાં બેસેલા હોય
- ભૂલથી પણ પશુઓની તસ્વીર ન લગાવો. ઘરે આવેલા મેહમાનને હંમેશા સ્વચ્છ વાસણમાં જ પાણી પીવડાવો.  જમ્યા પછી એંઠા વાસણ ઉઠાવીને સ્વચ્છ કરવાના સ્થાન પર મુકો. 
- ઘરમાં છોડ વૃક્ષ લગાવો. 
- બહારથી ઘરમાં આવો તો પરિજનો માટે કંઈક ને કંઈક લઈને આવો.
-  હંમેશા બીજાના સારા કાર્યોની પ્રશંસા કરો.  
- સૂર્યાસ્તના સમયે ઘરમાં ઝાડુ ન લગાવો. ઘરમાં જૂતા-ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરો. ઘરમાં શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments