Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં એક જુની રહેણાંક ઈમારત ધરાશાહી

Webdunia
મંગળવાર, 7 મે 2019 (11:42 IST)
સુરતમાં એક જુની ઈમારત ધડાકાભેર તુટી પડવાની ઘટના બની છે. શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં એક જુની રહેણાંક ઈમારત ધરાશાહી થઈ ગઈ છે. વિશાલ દર્શન એપાર્ટમેન્ટનો ભાગ સોમવારે રાત્રે એક વાગ્યા આસપાસ નમી ગયો હતો. બાદમાં લગભગ ચાર વાગ્યે આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ 11 પરિવારના 25 જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી.પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ 35 વર્ષ જૂનું હતું. ચાર માળના આ બિલ્ડિંગમાં 16 ફ્લેટ અને 11 પરિવાર રહેતા હતાં. પરંતુ રાત્રે જ બિલ્ડિંગનો ભાગ નમી જતાં તમામને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળ્યાના થોડા સમય બાદ સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો ભાગ ધડાકાભેર નમી પડ્યો હતો. જો કે તેમાં કોઈને ઈજા જાન હાનિ પહોંચી નહોતી. ફાયરબ્રિગેડની એક ટીમ પણ સતર્કતાના ભાગ રૂપે તૈનાત રહી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments