Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠા જિલ્લાનાં ૨૦૦ ગામના પૂરપીડિતો ચૂંટણીનો બહિષ્કાર કરશે

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:31 IST)
બનાસકાંઠાના ૨૦૦ જેટલાં ગામના પૂરપીડિતો એકઠા થયા હતા અને મોટી જાહેરસભા ભરી હતી. ત્યાર બાદ તેમના દ્વારા રેલી કાઢવામાં આવતાં સરકારે તે અંગે ઝડપથી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી છે. અખિલ ભારતીય ક્ષત્રિય મંચની આગેવાની હેઠળ ડીસા ખાતે રેલી કાઢતાં ભાજપના નેતા માટે બનાસકાંઠામાં ચૂંટણીમાં તકલીફ થાય તેવું લાગતાં પૂરપીડિતોને મદદ કરવા માટે તૈયારીઓ શરૂ થઈ છે. અતિવૃષ્ટિમાં નુકસાન અંગે લોકો રોષે ભરાયા છે અને ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી પણ આપી છે.

બનાસકાંઠાના પૂર પીડિતો ઉંચાણવાળા વિસ્તારમાં ઘર અને જમીન ફાળવવા માટે માગણી કરી રહ્યાં છે. સરકાર નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાય છે ત્યાં ઘર આપવા માગે છે. તેમની બીજી માંગણીઓ એવી છે કે, ખેડૂતોનું દેવું એક વર્ષ માટે માફ કરવામાં આવે. નોંધાયેલા પશુઓને મૃત સહાય, ડેરીમાં દૂધ ભરતાં હતા તેના આધારે મૃત પશુ સહાય આપવામાં માંગણી કહી રહ્યાં છે. સરકાર મરેલા પશુનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગી રહી છે. તેના પુરાવા માગી રહી છે. જે પૂરમાં તણાઇ ગયેલાં પશુને અમે પુરાવા ક્યાંથી લઈ આવીએ? દરમિયાન નૉટબંધી, જીએસટી અને પૂરના કારણે મહામંદીમાં સપડાયેલાં વેપારીઓને પાંચ વર્ષ માટે વેરા માફ કરવામાં આવે તેવી માગણી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આગળનો લેખ
Show comments