Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP New Governor - કોણ છે? ગુજરાતની તત્કાલિન મોદી સરકારમાં એક દાયકો મંત્રી રહેલા મંગુભાઈ પટેલ, જે MPના રાજ્યપાલ બન્યા

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (14:28 IST)
આજે વિવિધ રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના આદિવાસી એવા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. મંગુભાઈ નવસારી જિલ્લામાંથી બીજા રાજ્યપાલ બન્યા છે.

આ પહેલા કોંગ્રેસની સરકારમાં નવસારી જિલ્લાના કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.1 જૂન 1944ના રોજ જન્મેલા મંગુભાઈ પટેલ 8 ધોરણ પાસ છે. નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા મંગુભાઈ પટેલ સતત 6 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 1990થી 1995, 1995થી 1997, 1998થી 2002, 2002થી 2007, 2002થી 2012 અને 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


કેશુભાઈ સરકાર દરમિયાન મંગુભાઈ પટેલ વર્ષ 1998થી 2002 દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી સરકારમાં 2002થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત 10 વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્યા બાદ 2013માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.જ્યારે આનંદીબહેન પટેલની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે 2016માં રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ પણ મળી નહોતી. ખાસ વાત એ છે કે, મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન તેઓ સતત બે ટર્મ એટલે કે 10 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા હતા.સવા વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મંગુભાઈ નવસારીમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારે એક ફોન આવ્યો અને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને જ મંગુભાઇ ચોંકી ગયા હતા અને ત્યારબાદ પુનઃ 10:02 કલાકે મોદીએ મંગુભાઇ સાથે વ્યક્તિગત વાત કરી હતી. આ વાતચીત અંગે મંગુભાઇએ જણાવ્યું કે મોદી સાહેબે મારા ખબરઅંતર પૂછી ખાસ મારી દીકરીના પુત્રની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments