Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 576 થયો, કુલ 20 લોકોનાં મોત

Webdunia
બુધવાર, 29 એપ્રિલ 2020 (11:55 IST)
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 576 થઈ ગઈ છે. પોઝિટિવ દર્દીઓમાં સ્મીમેર હોસ્પિટલમાં કેસ બારી પર કામ કરતો એક કર્મચારીનો પણ સમાવેશ થયો છે. આ સિવાય લિંબાયત પોલીસ મથકના પીએસઓનો પુત્ર અને કિરણ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરના પુત્ર પણ છે. તેવી જ રીતે શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું છે. યુવકને 25મીએ સાંજે દાખલ કરાયો હતો. આ સાથે શહેરમાં કોરોનામાં કુલ મૃતાંક 20 થઈ ગયો છે. શહેરમાં કોરોનાનો કુલ મૃતાંક 20 થઈ ગયો છે. શહેર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં કોરોનાને હરાવનારા 20 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 39 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જોકે રજા મેળવ્યા બાદ પણ આ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments