Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: આચાર્ય ચાણક્ય મુજબ એવા લોકોનો પીછો છોડતો નથી, નિષ્ફળતા અને નુકશાન

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (00:46 IST)
જો આચાર્ય ચાણક્યની નીતિઓની વાત કરીએ તો બતાવી દઈએ કે સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્ય એ.( Chandragupta Maurya )પણ તેમના વિચારોને અપનાવીને મગધ સામ્રાજ્ય પર રાજ કર્યુ. તેમની નીતિઓ એટલી પ્રભાવી હતી કે નંદ વંશનો નાશ પણ તેમની જ મદદથી થયો. ચાણક્યએ ફક્ત રાજનીતિ જ નહી સમાજ (Society) ના પણ દરેક વિષયનુ ઊંડાણથી નોલેજ અને પરખ હતી. આચાર્ય ચાણક્યે એક  નીતિ શાસ્ત્રની રચના પણ કરી છે.  જેમા તેમને સમાજના લગભગ દરેક વિષયો સાથે સંબંધિત જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય ( Chanakya Niti )ના નીતિ ગ્રંથમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલ અનેક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
લાઈફ કોચ કહેવાતા ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે વ્યક્તિનું વર્તન તેને જીવનમાં કેવી રીતે સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ આપી શકે છે. આચાર્ય ચાણક્યએ પણ આવા લોકો વિશે જણાવ્યું છે, જેમને ઘણીવાર નુકસાન અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જાણો આવા લોકો વિશે
 
ટાઈમનુ મહત્વ - આચાર્ય ચાણક્યના મતે જે લોકો સમયનું મહત્વ નથી સમજી શકતા તેઓને ઘણીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ચાણક્ય કહે છે કે આવા લોકો જલ્દી પરેશાનીઓ સાથે ઘેરાય જાય છે. વાસ્તવમાં, એક વખત પસાર થયેલો સમય પાછો આવતો નથી. કરિયર અને સ્થિર જીવન માટે દરેક ક્ષણ કિંમતી છે અને તેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
 
ગુસ્સો - આચાર્ય ચાણક્ય અનુસાર ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. જે લોકો ગુસ્સા પર કાબુ રાખી શકતા નથી, તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, નિષ્ફળતા પણ એવા લોકોને પરેશાન કરે છે.  જોવા જઈએ તો  ગુસ્સામાં ડૂબેલી વ્યક્તિને લોકો પસંદ કરતા નથી.  સાથે જ આવા લોકો સાથે લોકોને બેસવું અને ઉઠવું ગમતું નથી.
 
આવકથી વધુ ખર્ચ - ચાણક્ય મુજબ આપણે બધાએ આપણી આવક મુજબ જ ખર્ચ કરવો જોઈએ. મોટેભાગે લોકો પોતાની આવકથી વધુ ખર્ચ કરવો શરૂ કરી દે છે. તેમની આ ટેવને કારણે તેમને એક સમય પર આર્થિક તંગીની હાલતનો સામનો કરવો પડી શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસા જમા કરવા જોઈએ. કારણ આ એક સમય પર કામ આવે છે. 
 
ધનની બરબાદી - ચાણક્ય નીતિ મુજબ ધનની દેવી મા લક્ષ્મી જી ચંચળ સ્વભાવની  હોય છે. તેઓ ક્યારેય એક સ્થાન પર ટકી રહેતી નથી. જો મા લક્ષ્મીના આશીર્વાદથી ધનની  પ્રાપ્તિ થઈ છે તો ધનને બરબાદ ન કરવુ જોઈએ. કોઈપણ સાધનનો ખોટી રીતે ઉપયોગ કરવાથી તેનુ અસ્તિત્વ સમાપ્ત થવા માંડે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments