Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vasant panchmi katha- વસંત પંચમીની પૌરાણિક કથા

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (18:31 IST)
Vasant panchmi katha- દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે
 
વસંત પંચમી પૂજા વિધિ
 
વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સફાઈ કરવી. ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરી અને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવી.
ચોકી પર સ્વચ્છ પીળું કપડું મૂકવાનું ભૂલશો નહીં. ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચઢાવવા. માતાની સામે દીવો પ્રગટાવવો.
ત્યારબાદ માતાને ચંદન, હળદર, પીળી મીઠાઈનો ભોગ ચડાવવો. પૂજાની જગ્યાએ સંગીતનાં સાધનો અને પુસ્તકો અર્પણ કરો.
માતા સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરો અને તેમની જન્મ કથા વાંચો. જણાવી દઈએ કે માતા સરસ્વતીની વંદના પણ પાઠ કરવો જોઈએ.
 
વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા નીચે મુજબ છે 
 
માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા
 
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી હતી. વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ કરી રહ્યા હતા. આ અભાવને પહોંચી વળવા માટે તેમણે પોતાના કમંડળ માંથી પાણી છાંટ્યું. જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું. આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું. ત્રીજો હાથ માલા અને ચોથા હાથ વાર મુદ્રામાં હતો. જ્યારે માતા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારનની દરેક વસ્તુમાં સૂર આવી ગયું. માતાના પ્રગટ થવાના આ દિવસને વસંત પંચમી તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments