Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 1.45 લાખ પાર પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા, નવા 1335 કેસ અને 10 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:44 IST)
રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1335 કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 1473 લોકો સાજા થયા હતા તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં 10 લોકોના મોત થયા હતા જેમાં સુરતમાં 4 લોકોના, અમદાવાદમાં 3 લોકોના, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 1-1 લોકોનો મોત થયા હતા. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 47,54,655 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,45,362 લોકોના કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કુલ 3,522 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. 
 
રાજ્યમાં અત્યાર સુધી 1,25,243 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 16597 એક્ટિવ કેસ છે જેમાંથી 91 લોકો હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  
 
અમદાવાદમાં 37998 કેસ અને 1832 લોકોના મોત, સુરતમાં 30852 કેસ અને 793 લોકોના મોત, વડોદરામાં 12860 કેસ ને 194 લોકોના મોત, રાજકોટમાં 10174 કેસ અને 146 લોકોના મોત, જામનગરમાં 6633 કેસ અને 35 લોકોના મોત, ગાંધીનગરમાં 2920 કેસ અને 79 લોકોના મોત, ભાવનગરમાં 4365 કેસ અને 67 લોકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments