Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે પાકિસ્તાની ટીમ મેદાન પર નમાજ અદા કરી શકે છે તો ધોની બલિદાન બૈજ કેમ નથી પહેરી શકતા ?

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (17:16 IST)
આપણા દેશમાં ક્રિકેટનો કોઈ ધર્મ નથી. પણ ક્રિકેટ જ ધર્મ છે.  વાત જ્યારે ક્રિકેટની રમતથી દેશભક્તિ સુધી પહૉચે છે તો ભારતીય ફેંસના જોશ આગળ કોઈ ટકતુ નથી.  ભલે ક્રિકેટર્સને ભગવાનનો દરજ્જો આપવાની વાત હોય કે પછી સેનાના સમર્થનની. દેશવાસી દરેક મોરચે જુનૂન સાથે ઉભા રહે છે. 
 
ગુરૂવારથી એક એવો વિવાદ સામે આવ્યો છે જે ક્રિકેટ અને સેનાના સન્માન સાથે જોડાયેલો છે.  જ્યારબાદથી ક્રિકેટ ફેંસના માથે વિશ્વકપ સાથે દેશભક્તિનુ પણ જુનૂન જોવા મળી રહ્યુ છે.  ધોનીના બલિદાન બૈજ લગાવીને રમવાથી નવો વિવાદ ઉભો થયો છે. 
આ વિવાદ પર પાકિસ્તાનના જ તારિક ફતેહએ વિરોધ બતાવ્યો છે. ફતેહ એ કહ્યુ કે જ્યારે પાક્સિતાની ટીમ રમતના મેદાન પર નમાજ અદા કરે શકે છે તો આઈસીસીને કોઈ સમસ્યા નથી થતી. પણ જ્યારે કોઈ ખેલાડી પોતાના ગ્લબ્સ પર એક નિશાન લગાવી લે છે તો તેમને તેનાથી શુ સમસ્યા થઈ રહી છે ?
 
ઉલ્લેખનીય છે કે આઈસીસીએ મહેન્દ્ર સિહ ધોનીના ગ્લબ્સ પર પૈરા મિલિટ્રી ફોર્સના બલિદાન બૈજના નિશાનને હટાવવાનુ ફરમાન રજુ કર્યુ છે.  જ્યારબાદથી લોકોનુ કહેવુ છે કે જ્યારે મેચ પહેલા ખેલાડી મેદાન પર નમાજ અદા કરી શકે છે તો પછી ધોનીનુ ગ્લબ્સ પર સેનાના બૈજની નિશાની લગાવીને રમવામાં શુ ખોટુ છે. ફૈસ આઈસીસીના આદેશને માનવા તૈયાર નથી અને તેને હવે સેનાના સન્માન સાથે જોડવામાં આવ્યુ છે. 
 
મહેન્દ્ર સિંહ ધોની પૈરા મિલિટ્રીના માનદ લેફ્ટિનેટ કર્નલ છે. એવામાં ધોની સત્તાવાર રૂપે બલિદાન બૈજનો ઉપયોગ કરી શકે છે.  તેથી ધોનીએ સેના પ્રતિ સન્માન બતાવતા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં પોતાના વિકેટકીપિંગ ગ્લ્બસ પર બલિદાન મેડલનુ નિશાન લગાવ્યુ હતુ.  જ્યારે ફૈસને આ વાતની જાણ થઈ તો દરેક ધોનીના ગુણગાન ગાવા માંડ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

આગળનો લેખ
Show comments