Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ સુહાગરાતે ભારતીય વરવધુ શુ કરે છે ?

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (09:47 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી  પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે.  પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.  જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ  કે એ જરૂરી નથી કે બધાની સુહાગરાત આ જ રીતે પસાર થાય.  એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે. 

1. થાકને કારણે તેઓ સૂઈ જાય છે. આપણા ભારતીય સમાજમાં લગ્ન ખૂબ વિધિ વિધાનથી થાય છે અને આ બધુ મોટાભાગે વર-વધૂ જ કરે છે. જેને કરતા કરતા તેઓ એટલા થાકી જાય છે કે પોતાના રૂમમાં પહોંચતા જ સૂવાની તૈયારી કરે છે. 

2. લગ્નના કપડા અને સામાનથી મુક્તિ મેળવવી - લગ્નના કપડા ખૂબ જ ભારે હોય છે પછી ભલે એ વરની શેરવાની હોય કે વધુ નો લહેંગો. આ બંને આ કપડા ખૂબ મોડે સુધી પહેરી રાખે છે. તેથી તેઓ જેવા પોતાના રૂમમાં પહોંચે છે કે કે બધુ જ ઉતારવામાં લાગી જાય છે. યુવક માટે તો સહેલુ છે પણ યુવતી માટે ફક્ત પોતાના ઘરેણા કે લહેંગો જ નહી પણ હેરસ્ટાઈલ, તેમા લાગેલી પિનો.. બિડસ ઉપરાંત મેકઅપ બધુ ઉતારવાનું હોય છે. 

3. મિત્રો અને સંબંધીઓની મજાક મસ્તીનો સામનો કરવો - દરેક વર વધૂને મિત્રો અને કઝીંસના કેટલાક અણગમતા મઝાક સહન કરવા પડે છે. જેવો કે અડધી રાત્રે ફોન કરવો.. ઘડિયાળનો અલાર્મ વગાડવો.. અને દરવાજો ખખડાવવો. આ બધુ આખી રાત ચાલતુ રહે છે. 
4. દિલ ખોલીને વાત કરવી - જેમ જેમ લગ્નનો દિવસ નિકટ આવે છે બંને યુવક અને યુવતી પોત પોતાની તૈયારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. તેથી એ જોવામાં આવ્યુ છે કે લગ્નની પ્રથમ રાત્રે બંને એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરે છે. 
5. સાથે ન્હાવુ - આ કામ મોટાભાગના નવ વરવધૂ લગ્નની પ્રથમ રાત્રે કરે છે. તેનાથી તેમનો થાક દૂર થાય છે સાથે જ એકબીજાની નિકટ આવવાની તક મળે છે. 
6. દુલ્હનની ભેટ ખોલવી - થોડી આશ્વર્યની વાત તો છે પણ આ સત્ય છે કે દુલ્હન પોતાના પતિ માટે ઘણી બધી ભેટ સોગાદો લાવે છે અને તેને બતાડવા માટે તે બંને લગ્નની પ્રથમ રાત્રે જ બધા જ ગિફ્ટ્સ ખોલીને જુએ છે. 
7. હનીમૂનની તૈયારી કરે છે - જો લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવાનુ છે તો તેઓ એ માટે પેકિંગ કરવામાં આખી રાત વિતાવી નાખે છે. 
 
8. લગ્નની ભેટ ખોલવી - લગ્નની પ્રથમ રાત્રે મેહમાનોએ આપેલ ગિફ્ટ્સ ખોલીને જોવા. આ સાંભળવામાં થોડુ રોમાંચક લાગે છે પણ જ્યારે તેઓ ગિફ્ટ્સ ખોલે છે તો બધા એક્સાઈટમેંટ ખતમ થઈ જાય છે. જ્યારથી ઘરેલુ ઉપકરણો, વાસણો અને લૈપ જેવા ગિફ્ટ્સને જુએ છે. 
 
 
9. લગ્ન વિશે વાતો કરે છે. આટલો લાંબો સમય વિતાવ્યા પછી લગ્નની પ્રથમ રાત્રે બંને એકલા એકસાથે હોય છે. અને લગ્ન દરમિયાન વિતાવેલા સારી ક્ષણોને યાદ કરે છે. એકબીજાના નિકટ આવવાને બદલે એ ક્ષણો વિશે વાતો કરે છે. 
 
10. સેક્સ વિશે વિચારવુ - જો વર વધૂ લગ્નની પ્રથમ રાત્રે કંઈક અણગમતા કારણોસર એકબીજાની નિકટ ન આવી શકે તો તેઓ આરામથી શરમાતાં શરમાતાં સૂઈ જાય છે.. પોતાની આવનારી સવારની રાહ જોવામા... 
વધુ જુઓ..

જરૂર વાંચો

વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશન સ્ટાઈલની પાછળનુ ખોલ્યુ રહસ્ય, કહ્યુ - હુ કોઈપણ વસ્તુને હળવાશથી નથી લેતો

અલ નીનો નહીં પણ 'નેગેટિવ PDO' લાવ્યો ગુજરાતમાં તબાહી: જાણો વિજ્ઞાનીઓની આગાહી કેમ ખોટી પડી?

આઈફોન કર્યો ઓર્ડર, પાર્સલમાં નીકળ્યું તેલ, કંજ્યુમર ફોરમે ફિલ્પકાર્ટ અને વિક્રેતા પર લગાવ્યો તગડો દંડ

શેરબજારમાં ઉથલપાથલ! સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23,650 થી નીચે ગયો, રોકાણકારોએ એક જ ઘટાડામાં 4 લાખ કરોડ ગુમાવ્યા

સોનમ વાંગચુકે 26 દિવસ પછી ઉપવાસ તોડ્યા, હોસ્પિટલમાં મંત્રી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત બાદ લેવાયો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ