Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: આર્થિક તંગીથી પરેશાન છો તો ઘર પર લગાવો આ તસ્વીરો થશે લાભ

Webdunia
શનિવાર, 19 માર્ચ 2022 (12:43 IST)
વાસ્તુશાસ્ત્રમાં ઘર વિશે ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ ટિપ્સમાં ઘરની દિશા ક્યાંથી, કઈ વસ્તુ રાખવી જોઈએ તે દરેકને જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઘરનું નિર્માણ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા આપે છે. જ્યાં સકારાત્મક ઉર્જા જીવનમાં ખુશીઓ લાવે છે અને નકારાત્મક ઉર્જા આર્થિક સમસ્યાઓ અને રોગો લાવે છે.
 
ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં પરેશાનીઓ જ આવે છે, જીવનમાં નિષ્ફળતા જ મળે છે અને માનસિક પીડા પણ જીવનમાં આવે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને આપણે ઘરના વાસ્તુ દોષોને દૂર કરી શકીએ છીએ અને ઘરમાં સમૃદ્ધિ લાવી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં કઈ વસ્તુઓના ચિત્રો લગાવવાથી આપણે સુખ, સમૃદ્ધિ વગેરેમાં વધારો કરી શકીએ છીએ.
 
ઘન લાભ માટે - જો તમામ પ્રયત્નો પછી પણ તમારા જીવનમાં આર્થિક સંકટ ચાલી રહ્યુ છે, તો તમારા ઘરમાં મા લક્ષ્મી અને કુબેરનો ફોટો અવશ્ય મુકો. પરંતુ આ વાતનુ ધ્યાન રાખો કે તમે આ તસવીરો ઘરની ઉત્તર દિશામાં લગાવો. એવું કહેવાય છે કે ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે. આ તસવીરો લગાવશો તો પૈસા આવશે.
 
સુંદર ચિત્રો - ઘરની દિવાલો પર સુંદર ચિત્રો લગાવવા જોઈએ. જો તમે આવુ કરશો તો ઘરની સુંદરતા વધવાની સાથે સંપત્તિમાં પણ વધારો  થશે. ઉલ્લેખનીય છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ અને પૂર્વ દિશાની દીવાલોમાં માત્ર પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓની તસવીરો જ લગાવવી જોઈએ.
 
હસતા બાળકનો ફોટો - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નાના બાળકોની હસતી તસવીર લગાવવી ખૂબ જ સારી બાબત છે. ઘરમાં હંમેશા હસતા બાળકની તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પૂર્વ અને ઉત્તર દિશામાં બાળકનું ચિત્ર લગાવવું શુભ હોય છે.
 
નદી અને ઝરણાનુ ચિત્ર - ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં નદી અને ઝરણાનું ચિત્ર લગાવવાથી સકારાત્મક ઉર્જા પણ વધે છે. જો તમે ઘરમાં પૂજા ઘર બનાવ્યું છે તો યાદ રાખો કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલા રૂમનો પૂજા માટે ઉપયોગ ન કરવો જોઈએ
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

આગળનો લેખ
Show comments