Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જઈએ તો શું થાય ? જાણો સૂવાની સાચી રીત

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (00:18 IST)
Vastu Tips: બેડ પર સૂતી વખતે, આપણે ઘણીવાર આપણું માથું કોઈપણ દિશામાં કરીને સૂઈ જઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેની શું અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવા અંગેના પણ  નિયમો બતાવ્યા છે, જેને અપનાવીને તમે તમારું સ્વાસ્થ્ય સારુ  રાખી શકો છો. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વાત કરીશું. ચાલો જાણીએ કે જો તમે ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જાઓ તો શું થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાની વિરુદ્ધ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું સારું નથી. વાસ્તવમાં પૃથ્વીમાં ચુંબકીય શક્તિ છે, તેથી જ ચુંબકીય પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશામાં સતત વહે છે.
 
વાસ્તુ અનુસાર, જ્યારે આપણે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે આ ઉર્જા આપણા માથાની બાજુથી પ્રવેશે છે અને પગની બાજુથી બહાર નીકળી જાય છે. આ રીતે વ્યક્તિ સવારે ઉઠે છે અને તાજગી અનુભવે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર તરફ માથું રાખીને સૂવા પર, ચુંબકીય પ્રવાહ પગમાં પ્રવેશ કરે છે અને માથા સુધી પહોંચે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે અને સવારે ઉઠવા પર મન ભારે રહે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, એટલે કે કુદરતી રીતે તેના પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ, પરંતુ ક્યારેય પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

આગળનો લેખ
Show comments