Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ: બરબાદીના સંકેત આપે છે આવી દિવાલો, આ વાસ્તુ ટિપ્સ બનાવશે અમીર

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:47 IST)
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ચાર દિશાઓમાંથી ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘર બનાવતી વખતે ઉત્તર દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરની ઉત્તર દિશાનું વાસ્તુ જો યોગ્ય છે તો પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવતી રહે છે. આ સાથે ઘરના લોકો સ્વસ્થ રહે છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ચાલો જાણીએ કે ઘરની ઉત્તર દિશાના કયા દોષોને દૂર કરવાથી સુખ-શાંતિ બની રહે છે.
 
ઉત્તર દિશાના આ દોષોને દૂર કરવાથી રહેશે સુખ-શાંતિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિવાલોમાં તિરાડો પડવી અશુભ છે. આ સૂચવે છે કે પરિવારમાં વિવાદ છે. જો ઉત્તરની દીવાલમાં તિરાડ હોય તો તેનાથી પણ વધુ અશુભ પરિણામ મળે છે. આવી સ્થિતિમાં ઘરની સમૃદ્ધિ માટે ઉત્તર દિશાની દીવાલને તિરાડોથી મુક્ત રાખવી જોઈએ.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનો નળ ઉત્તર દિશામાં ન લગાવવો જોઈએ. વાસ્તવમાં આ દિશામાં લગાવવામાં આવેલ પાણીનો નળ ઘરમાં આર્થિક સંકડામણ ઉભી કરે છે. તેની સાથે ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં રસોડું ન બનાવવું જોઈએ. કારણ કે આ દિશામાં રસોડું બનાવવાથી ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં સુખ-શાંતિ માટે રસોડું આ દિશામાં ટાળવું જોઈએ.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂગર્ભ જળ કુંડ બનાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેની સાથે ઘરના સભ્યોને પ્રમોશન મળે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તરમુખી ઈમારતમાં વધુને વધુ ખુલ્લી જગ્યા છોડવી જોઈએ, કારણ કે આ દિશા ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. બીજી તરફ ઉત્તર દિશામાં પૂજાનું ઘર બનાવવું વધુ સારું છે. આ સિવાય આ દિશામાં ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Day Wishes & Quotes - યોગ દિવસની શુભેચ્છા

21 જૂનની રાત સૌથી નાની કેમ હોય છે ? જાણો કારણ અને રોચક માહિતી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માણસામાં કર્યો યોગાભ્યાસ

World Yoga Day 2026: અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત

ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો

આગળનો લેખ
Show comments