Publish Date: Wed, 08 May 2019 (17:58 IST)
Updated Date: Wed, 08 May 2019 (18:11 IST)
જ્યારે પણ ઘર બનાવવાની વાત આવે છે તો લોકોના મગજમાં સૌથી પહેલા વાસ્તુનો ખ્યાલ આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને સંપૂર્ણ રીતે વાસ્તુ દોષથી દૂર રાખવા માંગે છે. જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. વાતાવરણ અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્ય બનાવી રાખવા માટે પ્રાકૃતિક બળ જેવા કે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ વચ્ચે પરસ્પર ક્રિયા થાય છે . જેનો વ્યાપક પ્રભાવ આ પૃથ્વી પર રહેનારી માનવ જાતિ પર પડે છે. પાંચ તત્વો વચ્ચે થનારી પરસ્પર ક્રિયાને વસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે તેના બદલવાથી ઘરના વાસ્તુ પર પ્રભાવ પડે છે.