Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં ભૂલથી પણ ન મુકશો આ વસ્તુઓને, નહીં તો પરિવાર પર આવશે સંકટ

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (08:22 IST)
Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે  જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ વસ્તુઓ ન હોવી જોઈએ. 
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈલેક્ટ્રોનિક એટલે કે વિજળી સાથે જોડાયેલ સામાન અથવા ગરમી પેદા કરતા સાધનોને ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકવા જોઈએ. આવુ  કરવાથી પુત્ર પિતાની અવહેલના કરે છે અને તેમનું અપમાન કરે છે. તેમજ બેડરૂમમાં એવી જગ્યાએ કાચ કે અરીસો ક્યારેય ન મુકવો જ્યાંથી બેડ દેખાય. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
 
આ ઉપરાંત જો તમારો પ્લોટ ઉત્તર અને દક્ષિણમાં સાંકડો અને પૂર્વ અને પશ્ચિમમાં લાંબો હોય તો આવી જગ્યાને સૂર્યભેદી કહેવામાં આવે છે. તમારા પ્લોટ કે ઘરની આ ડિઝાઈન પિતા-પુત્રના સંબંધોમાં તિરાડની સ્થિતિ પણ ઉભી કરશે.
 
ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકશો જૂતા-ચપ્પલ 
 
ભૂલથી પણ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન તો જૂતા અને ચપ્પલ રાખવા જોઈએ અને ન તો ચંપલ-ચપ્પલ રાખવાની જગ્યા બનાવવી જોઈએ. આ સિવાય આ દિશામાં ગંદી વસ્તુઓ કે ડસ્ટબીન ન રાખવા જોઈએ. કારણ કે આ દિશામાં ગંદકી થવાથી આ દિશા દૂષિત થઈ જાય છે, જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે
 
ઉત્તર-પૂર્વ દિશાને ન કરશો ગંદી
 
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે આવુ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે પૈસાનુ આગમન   ધીમુ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: વાસ્તુના મુજબ આ દિવસે લગાવશો મની પ્લાન્ટ તો સારો ઉગશે અને ઘરમાં તેનું શુભ પરિણામ જોવા મળશે

28 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા, અધૂરા કામ થશે પૂરા

Vastu Tips: લાંબા સમયથી દેવાથી છો પરેશાન અને નથી મળી રહી રાહત, તો અપનાવો આ વાસ્તુ ઉપાય

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

27 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્રી અમાવાસ્યા પર આ 4 લોકોએ ગુસ્સા પર રાખવો કાબુ

આગળનો લેખ
Show comments