Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - જે ઘરમાં હોય છે આ વસ્તુઓ, ત્યા ધન નહી દરિદ્રતા આવે છે...

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (00:14 IST)
ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments