Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ભૂલોના લીધે ઘરમાં થતો નથી લક્ષ્મીનો વાસ! થાય છે પૈસાની બરબાદી

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (09:06 IST)
ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે. પરિણામે આર્થિક નુકસાન થાય છે. ચાલો જાણીએ વાસ્તુની તે ભૂલો વિશે.
 
આ ભૂલોને કારણે થતી નથી બરકત
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાલ પર બંધ પડેલી ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. આ સિવાય ટેબલ પર પડેલી ઘડિયાળથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. એવામાં તેને તાત્કાલિક સુધારો કરવો જોઇએ. 
 
- સૂકા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા છોડ ન હોવા જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નળમાંથી ટપકતું પાણી, પાઇપમાંથી વહેતું પાણી અથવા બિનજરૂરી પાણીનો બગાડ વાસ્તુ દોષ પેદા કરે છે. આવા વાસ્તુ દોષોને કારણે ધનનો વ્યય થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરને સ્વચ્છ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. બીજી તરફ ઘરને ગંદુ રાખવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. આર્થિક નુકશાન પણ થાય છે.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

આગળનો લેખ
Show comments