Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો

Webdunia
રવિવાર, 22 જાન્યુઆરી 2017 (16:58 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્રને આજે અહીં રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે મંચ પર અખિલેશના પત્ની ડિમ્પલ હાજર હતાં, પણ પિતા અને પાર્ટીના સ્થાપક પ્રમુખ મુલાયમ સિંહ યાદવ ગેરહાજર હતા. અખિલેશે રાજ્યની પ્રજા માટે કર્યા છે.

ચૂંટણીઢંઢેરામાં સ્માર્ટફોનથી લઇને મહિલાઓ માટે પ્રેશર કૂકર આપવાનું વચન સામેલ છે. આ સિવાય એકદમ ગરીબ લોકોને મફત ઘઉં-ચોખા અને એક કરોડ લોકોને 1000 રૂપિયાના માસિક પેન્શનની વાત પણ કરી છે.
 
સાથો સાથ લેપટોપ, કન્યા વિદ્યા ધન, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, સમાજવાદી પેન્શન, 100, 102, 108 જેવી જૂની યોજનાઓને વધુ મજબૂતીથી ચલાવાનું વચન આપ્યું છે. ગરીબ બાળકો માટે મોટો વાયદો કરતાં અખિલેશે જાહેરાત કરી છે કે સરકાર બનવા પર કુપોષણથી પીડાતા બાળકો માટે દર મહિને એક કિલોગ્રામ ઘી અને એક ડબ્બો દૂધ પાઉડર આપશે. અખિલેશે કહ્યું કે ચૂંટણી ઢંઢેરા સિવાય સપાના તમામ ધારાસભ્ય પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસનો રોડ મેપ પમ અલગથી બનાવશે.
 
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર વ્યવસ્થા ઘડવામાં આવશે. એક કરોડ લોકોને દર મહિને પેન્શન રૂપે 1000 રૂપિયા આપવામાં આવશે.  કિસાનોના લાભાર્થે સમાજવાદી કિસાન કોષ બનાવવામાં આવશે. ગરીબ મહિલાઓને પ્રેશર કૂકર આપવામાં આવશે. અત્યંત ગરીબ લોકોને મફતમાં ઘઉં, ચોખા આપવામાં આવશે.  વરિષ્ઠ નાગરિકો માટે ઓલ્ડ એજ હોમ્સ બનાવવામાં આવશે. આગરા, મેરઠ, કાનપુર, વારાણસીમાં મેટ્રો રેલવેનો આરંભ કરાશે. વાર્ષિક દોઢ લાખથી ઓછી આવકવાળાઓને મફતમાં ઈલાજ કરવામાં આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments