Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% વધારે: નીતિન પટેલ

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (13:28 IST)
રાજ્યના નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2019-20નું અંદાજ પત્ર રજૂ કર્યુ હતું. વચગાળાના આ અંદાજ પત્રને રજૂ કરતા નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાતની સિદ્ધીઓની વર્ણવી હતી તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની માથાદીઠ આવક દેશ કરતાં 54.8 ટકા વધારે રહી હતી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ક્રીસલ ગ્રોથ 2.0 અહેવાલ મુજબ, ગુજરાત GSDP, વિકાસદર, નાણાકીય શિસ્ત, રોજગારી સર્જન અને મોંઘવારીને કાબુ રાખવામાં મોખરે છે. 2013થી 2017ના પાંત વર્ષ દરમિયાન વર્ષ 2011-12ના સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વુદ્ધિદર 9.9 ટકા રહ્યો હતો જે દેશનો સૌથી ઊંચો છે, જેને જાળવી રાખતા વર્ષ 2017-18 દરમિયાન રાજ્યનો ગ્રોથ રેટ 11.2 ટકા રહ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન રૂપિયા 13 લાખ 15 હજાર કરોડ છે, જે ગત વર્ષની સામે 14 ટકા ગ્રોથ દર્શાવે છે. ગુજરાત દેશની GDPમાં પાંચ ટકાની વસતિ સામે 7.8 ટકાનો હિસ્સો ધરાવે છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યની ચોખ્ખી માથાદીઠ આવકા ચાલુ ભાવે 1,74,652 રૂપિયા છે, જે ગત વર્ષ કરતાં વધારે છે. દદેશની માથાદીઠ આવક કરતાં ગુજરાતની માથાદીઠ આવક 57.8 ટકા વધારે છે. નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં વર્ષ 2015-16માં ગુજરાતનો હિસ્સો 19 ટકા હતો, જે વધીને વર્ષ 2017-18માં 22 ટકા છે. તાજેતરમાં થયેલી નોંધણી મુજબ, દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકાના હિસ્સા સાથે ગુજરાત મોખરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments