Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંકટ સમયે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ આ 5 વાતો, સહેલાઈથી પસાર થશે ખરાબ સમય

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (08:33 IST)
આચાર્ય ચાણક્યની ગણતરી મહાન અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ અને કૂટનીતિજ્ઞમાં થાય છે. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એવી ઘણી નીતિઓ વર્ણવી છે જે આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ જીવનના દરેક પરિસ્થિતિનો ઝીણવટાઈથી અભ્યાસ કર્યો. એવું કહેવામાં આવે છે કે ચાણક્યએ પોતાની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો.  કહેવાય છે કે ચાણક્યની નીતિઓ અપનાવીને દરેક મનુષ્યને સફળતા મળી શકે છે.
 
ચાણક્યએ એક શ્લોકમાં વર્ણવ્યું છે કે મુશ્કેલ સમયમાં શું કરવું જોઈએ અને કંઈ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ચાણક્ય કહે છે કે આ બાબતોને ધ્યાનમાં રાખીને સંકટ સમય સરળતાથી  પસાર થશે.  જાણો એ વાતો 
 
1. સાવધાની રાખો- ચાણક્ય કહે છે કે મુશ્કેલ સમયમાં સાવધાની રાખવી જોઈએ. મુશ્કેલ સમયમાં સૌથી મોટો પડકાર એ છે કે આ સમયમાં નાની ભૂલ પણ તમારે માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. 
 
2. પ્લાનિંગ સાથે કરો કામ - નીતિ શાસ્ત્ર મુજબ ચાણક્યએ પોતાની રણનીતિથી જ નંદ વંશ નષ્ટ કર્યો. આવામાં સંકટમાંથી બહાર નીકળવા માટે યોજના બનાવવી જરૂરી છે. વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે ઠોસ રણનીતિની જરૂર હોય છે. આવામાં મુશ્કેલ સમયમાં સાવધાની સાથે આયોજન કરવું જોઈએ.
 
3. પરિવારની સુરક્ષા - ચાણક્ય કહે છે કે પરિવારની સલામતી એ વ્યક્તિનું  પ્રથમ કર્તવ્ય છે. તેથી સૌ પ્રથમ પોતાના પરિવારની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવવી જરૂરી છે. સંકટ સમયે કુટુંબને ક્યારેય એકલો ન છોડવો જોઈએ.
 
4 આરોગ્યનુ ધ્યાન -ચાણક્ય કહે છે કે વ્યક્તિએ મુશ્કેલ સમયમાં પોતાના આરોગ્યની કાળજી લેવી જોઈએ. કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વ્યક્તિએ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આવામાં સંકટ સમયે પોતાના સ્વાસ્થ્યનુ વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ.
 
5. ધન એકત્ર કરવુ -  સંકટમાંથી બહાર નીકળવા માટે ધન એકત્ર કરવુ ખૂબ જરૂરી છે. ચાણક્ય કહે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પૈસા એ વ્યક્તિનો સાચો મિત્ર છે. જે વ્યક્તિ પાસે પૈસાની કમી રહે છે, તેમને માટે પડકારોનો સામનો કરવો મુશ્કેલ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments