Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: આવા ઘરમાં માતા લક્ષ્મી ખુશીથી આવે છે, બસ કરો આ ૩ વસ્તુઓનું પાલન

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (08:30 IST)
Chanakya Niti:  આચાર્ય ચાણક્યને રાજકારણ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના નિષ્ણાત કહેવામાં આવે છે, તેમની જણાવવામાં આવેલી નીતિઓ એવી છે કે જો તમે તેને તમારા જીવનમાં ઉતારી લો તો તમને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. આચાર્ય ચાણક્યની નીતિઓ અઘરી છે પણ કહેવાય છે કે મહેનત વગર ફળ મળતું નથી. આજે અમે તમને ચાણક્યની એક એવી નીતિ બતાવી રહ્યા છીએ, જો તમે તેને અપનાવશો તો તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે. માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે.
 
આચાર્ય ચાણક્ય પોતાની નીતિ  શ્લોકો દ્વારા સમજાવી છે. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લક્ષ્મી તમારા ઘર તરફ ખેંચાશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે. ચાલો જાણીએ કે કયા ઉપાય કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.
 
मूर्खाः यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसंचितम् ।
दाम्पत्योः कलहो नास्ति तत्र श्री स्वयमागता॥
 
મૂર્ખ લોકોની વાતો પર ન કરો વિશ્વાસ 
 
આ શ્લોકનો અર્થ એ છે કે મૂર્ખની વાતનું કોઈ મૂલ્ય નથી, જે ઘરમાં મૂર્ખની વાતનું પાલન થાય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહેતો નથી. આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો મૂર્ખની વાતો પર વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે તેમને સફળતા મળતી નથી.
 
અન્નનો ભંડાર 
આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરોમાં રસોડામાં અનાજ ક્યારેય ખતમ નથી થતું તે ઘરોમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તેથી જ અનાજના ભંડાર ભરતા રહો, રસોડામાં અનાજનાં ડબ્બા ક્યારેય ખાલી ન થવા દો.
 
પરિવારમાં પ્રેમ કાયમ રાખો 
આચાર્ય ચાણક્ય કહે છે કે જેના પરિવારમાં એકતા રહે છે, પૈસાની કમી નથી રહેતી અને સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરના સભ્યોમાં પ્રેમની ભાવના રહે છે એ ઘર પર માતા લક્ષ્મી હમેશા ખુશ રહે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments