Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઐસા દેશ હૈ મેરા: હાલ સ્કૂલ છોડી તો નહી મળે ક્યાંય પણ નોકરી - શિક્ષકો માટે મુસીબત

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (13:29 IST)
રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અનલોક 4ની લાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. તે મુજબ અનુસાર લોકોને ઘણા પ્રકારની રાહતો આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનો અને બગીચા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. દુકાનદારોને પણ 24 કલાક દુકાન ખોલવાની પરવાનગી મળી ગઇ છે, પરંતુ કોરોના મહામરીના દુષ્પ્રભાવથી વિદ્યાર્થીઓને બચાવવા માટે અને તેમના હિત અને સ્વાસ્થ્યના ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે પણ અત્યાર સુધી સ્કૂલ અને કોલેજો ખોલવા અંગે કોઇ નિર્ણય લીધો નથી. વિદ્યાર્થીઓને હજુ પણ ઓનલાઇન અભ્યાસ કરવાની સૂચના આપવામાં આવી છે. 
 
જે શિક્ષક ઓછા પગારના કારણે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં કામ શોધી રહ્યા છે, તેમના માટે ખરાબ સમાચાર છે. કોરોના મહામારી હાલમાં શિક્ષક એક સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જોડાઇ શકશે નહી. તમામ ખાનગી સ્કૂલોના મેનેજમેન્ટએ આંતરિક રૂપથી નિર્ણય લીધો છે કે સ્કૂલમાં નિકાળવામાં આવેલા શિક્ષકને અન્ય સ્કૂલો દ્વારા કામ પર રાખવામાં આવશે નહી. 
 
ઘણી સ્કૂલોમાં કોરોના મહામારી દરમિયાન, શિક્ષકોને પગારમાં 40 ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે શિક્ષક પણ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી નારાજ છે. અને આ સ્થિતિમાં જો શિક્ષક સ્કૂલ છોડે છે તો સ્કૂલ વહીવટીતંત્રને ફરીથી નવી સિસ્ટમમાં ફરી એકવાર શિક્ષકને ટ્રેન કરવો પડે છે. પરિણામસ્વરૂપ સ્કૂલ મેનેજમેન્ટ તે શિક્ષકોને નોકરી પર નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેમણે અન્ય સ્કૂલોમાં પોતાની નોકરી છોડી દીધી છે. 
 
વિદ્યાર્થીઓના માતા પાસે કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણ માટે અત્યાર સુધી મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારે ફી વસૂલી રહ્યું છે. ફીના કારણે ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ પણ બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત જો ફી ના ભરી તો માતા પિતાને વિદ્યાર્થીનું એડમિશન રદ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મેનેજમેન્ટએ શિક્ષકો વિરૂદ્ધ આ નવી નીતિને અપનાવી છે જેથી શિક્ષક સ્કૂલ છોડી શકશે નહી. 
 
મહત્વપૂર્ણ છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકોનું કોઇ સંગઠન નથી. આ કારણે તે પોતાના વિરૂદ્ધ થનાર કોઇપણ અન્યાયનો ખુલીને વિરોધ કરી શકતા નથી. બીજી તરફ ખાનગી સ્કૂલોના મેનેજમેન્ટનું પોતાનું એક મોટું સંગઠન છે. તેના કારણે તે કોઇપણ નિર્ણયને સરળતાથી અમલમાં લાવી શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments