Dharma Sangrah

ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:28 IST)
4
સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.
રીત - મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું  ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો.  બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો તૈયાર છે. 
 
ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી. (ચાસણી વધારે ઘટ્ટ ન થાય તેનું ધ્‍યાન રાખવું. - ચાસણી ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરીને એકતારી કરવી.) 
 
કઢાઇમાં ઘી ગરમ થાય ત્‍યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળા લોટા (જલેબીના મોલ્ડ)મા ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી. 
 
જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments