Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coconut laddu- નારિયેળના લાડુ

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (18:13 IST)
Coconut Laddu recipe - નારિયેળના લાડુ 

સામગ્રી
છીણેલું નારિયેળ - 2 કપ
ખાંડ - 1 કપ
ઘી - 1/4 કપ
દૂધ - 1/4 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ) - સ્વાદ પ્રમાણે (ઝીણી સમારેલી)
 
નારિયેળના લાડુ બનાવવાની રીત
નારિયેળના લાડુ દિવાળી માટે એક પરફેક્ટ મીઠી વાનગી છે જે સરળતાથી તૈયાર થઈ જાય છે. આ લાડુ તૈયાર કરવા માટે પહેલા નારિયેળને છીણી લો. આ પછી કાજુ અને બદામના નાના ટુકડા કરી લો. 

હવે ખાંડની ચાસણી બનાવો અને તેના માટે એક કડાઈમાં ખાંડ અને દૂધ ઉમેરી મધ્યમ તાપ પર પકાવો. ખાંડ ઓગળી જાય પછી ચાસણીને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવાની છે. આ પછી ગેસ બંધ કરી દો. 
 
આ પછી એક મોટા વાસણમાં છીણેલું નારિયેળ અને ઘી નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.નારિયેળના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને તમારા હાથ વડે ધીમે ધીમે બરાબર મસળી લો અને ગોળ લાડુ બનાવો. આ પછી, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સથી લાડુ સજાવો. નારિયેળના લાડુ સેટ થઈ જાય પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments