Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના લોકો આગામી દિવસોમાં નવરાત્રિ-દિવાળીમાં ભેગા થવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2020 (11:23 IST)
દેશમાં કોરોના ધીમો પડ્યો છે.  છેલ્લા કેટકાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો. એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો.  રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, તેમ છતાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોના વાયરસના સુરતમાં  નગરપાલિકા દ્વારા નવરાત્રી અને દિવાળીમાં કોરોના સંક્રમણ વધવાના ભય સાથે મોટી ચેતવણી જાહેર કરી છે. 
 
સુરતના અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં ચાર જ પરિવારમા વીસ કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.  સોસાયટીના રહીશોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતા ફકત ચાર જ ઘરમાં વીસ વ્યકતિ સંક્રમીત જોવા મળી હતી. પાલિકાએ તાત્કાલીક અસરથી સોસાયટીના તમામ રહીશોને ખાસ તકેદારી લેવા સુચના આપી છે. કોરોના પોઝીટીવ આવેલા મોટા ભાગના લોકો નજીકના મંદિરે જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 
 
પાલિકાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળે. લોકો મોટી સંખ્યામાં ભેગા થશે તો સંક્રમણ વધશે. પ્રમાણ વધશે.
 
ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ડાયાબીટીસ, પ્રેસર જેવી બિમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવાની આવશ્કતા છે. ઘણા લોકો બહાર નિકળતી વખતે નાના બાળકોને માસ્ક પહેરાવતા નથી. આ ખુબ ગંભીર બાબત છે. નવરાત્રી અને દિવાળી દરમિયાન કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા શહેરીજનો સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments