Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચત્વમાં વિલીન થયા ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહ, રાજકીય સમ્માનની સાથે આપવામાં અંતિમ વિદાય

Webdunia
શનિવાર, 19 જૂન 2021 (19:37 IST)
ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ પંચત્વમાં વિલીન થઈ ગયા. મિલ્ખા સિંહનું લગભગ એક મહિના સુધી કોરોના મહામારી સામે લડ્યા બાદ આજે ચંદીગઢના પીજીઆઈએમઆર ખાતે નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. એક અઠવાડિયા પહેલા તેમની પત્ની અને ભારતીય વોલીબોડ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ નિધન થયું હતું.
 
મિલ્ખા સિંહના અંતિમ વિધિ દરમિયાન કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ, વી.પી.સિંહ બદનોર સ્મશાનગૃહમાં હાજર રહ્યા હતા આ સાથે, ઘણા મંત્રીઓ, મોટા નેતાઓ અને પંજાબ સરકારના અધિકારીઓ પણ હાજર હતા. મિલ્ખા સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  તેમના અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા માટે આવેલા કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે જ્યારે ભારતમાં સ્પોર્ટ પ્રત્યે એટલી જાગૃતિ ન હતી તેવા સમયમાં મિલ્ખા સિંહ જ એક એવી વ્યક્તિ હતી કે જેમણે ભારતનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આવી રહી છે ત્યારે જે પણ ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, અમે તે પ્રદર્શન મિલ્ખા સિંહને સમર્પિત કરશું.
 
 
દરમિયાન ચંડીગઢના મટકા ચોક સ્થિત સ્મશાન ઘાટમાં કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ અને પંજાબના ખેલમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પહેલા પંજાબના મુખ્યમંક્રી કેપ્ટમ અમરિંદર સિંહે તેમને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી હતી. મિલ્ખા સિંહના સન્માનમાં પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 
 
મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેમના પત્ની નિર્મલ કૌરનું પણ કોરોનાથી નિધન થયું હતું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments