Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2026 (11:32 IST)
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિર- ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના( Nagchandreshwar Mahadev Temple)  દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ નાગપંચમી માટે જ ખોલવામાં આવે છે. 

નાગચંદ્રેશ્વર મંદિર એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું એક રહસ્યમય અને પૌરાણિક મંદિર છે, જે સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પરિસરના ત્રીજા માળે આવેલું છે。આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે 24 કલાક માટે ભક્તોના દર્શન માટે ખુલે છે

નાગચંદ્રેશ્વર ભગવાનથી થશે ત્રિકાળ પૂજા 

શ્રી મહાંકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના પ્રશાસક ગણેશ કુમાર ધાકદના મુજબ નાગપંચમી પર માગચંદ્રેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજા કરાશે. 
 

એવી છે નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 

મહાકાલ મંદિરમાં સ્થિત નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 11મા સદીની છે. આ મૂર્તિમાં ફન ફેલાવી બેસેલા નાગના આસન પર શિવજીની સાથે દેવી પાર્વતી બેસી છે. શકયત દુનિયામાંથી એક માત્ર એવી મૂર્તિ છે જેમાં શિવજી નાગ શૈય્યા પર બેસેલા છે. આ મંદિરમાં શિવજી, માતા પાર્વતી, શ્રી ગણેશજીની સાથે જ સપ્તમુખી નાગ દેવ છે. સાથે બન્નેના વાહન નંદી અને સિંહ પણ બેસેલા છે. શિવજીના ગળા અને બાજુઓમાં નાગ લપટાયેલા છે. 
 

આશરે 300 વર્ષ જૂનો છે મહાકાળ મંદિર 

મહાકાલેશ્વર જ્યોર્તિલિંગનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ મહાકાલેશ્વરની ચર્ચા છે. પણ મહાકાળ મંદિરની વર્તમાન બિલ્ડીંગ આશરે 250 થી 300 વર્ષ જૂની છે. મુગલોના સમયમાં મહાંકાળ મંદિરને નાશ કરી નાખ્યો હતો. પછી મરાઠા રાજાઓએ મહાંકાળ મંદિરના નિર્માણ ફરીથી કરાવ્યા હતા. 
 
મહાંકાળેશ્વર જ્યોર્તિલિંગ છે દક્ષિણમુખી 
દ્વાદશ જ્યોર્તિલિંગમાં મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ એક માત્ર દક્ષિણમુખી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આ મંદિરનો નંબર ત્રીજો છે. દક્ષિણમુખી હોવાના કારણે મહાંકાળના દર્શનથી મૃત્યુના ડર અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. મહાંકાળ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરાય છે. આ મંદિરની સૌથી ખાસ વાત છે. જૂના સમયમાં આ વિસ્તારને મહાંકાળ વન કહેવાતા હતા. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવપુરાણ, મત્સ્ય પુરાણની સાથે બીજી ગ્રંથમાં પણ મહાંકાળ વનના વિશે જણાવ્યુ છે. મંદિરના સૌથી ઉપર તળ ભગવાન નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે.  

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે જંક ફૂડ ખાવાથી કેમ બચવું જોઈએ ? હેલ્થ એક્સપર્ટ એ બતાવ્યા આરોગ્ય પર થનારા નુકશાન અને હેલ્ધી વિકલ્પ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

Gen Z શિક્ષક કેવો હોવો જોઈએ? આ બદલાતી દુનિયામાં શિક્ષક માટે આ ગુણો જરૂરી છે.

ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Aja Ekadashi 2026 Date : અજા એકાદશી ક્યારે છે ? જાણો તારીખ, મુહૂર્ત અને પૂજા વિધિ તેમજ વ્રતનુ મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 સપ્ટેમ્બર , 20226

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

આગળનો લેખ
Show comments