Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pitru Paksha 2023: 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે શ્રાદ્ધ પક્ષ, પિતરોને કેવી રીતે કરવુ જોઈએ તર્પણ ? જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી બધી મહત્વપૂર્ણ વાતો

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:18 IST)
29 સપ્ટેમ્બરથી  પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે.  પિતૃ પક્ષ પિતરોને સમર્પિત છે. આ દરમિયાન પિતરોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પંચાગનુ પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને આસો મહિનાના કૃષ્ણ પક્ષની સ્થાપના તિથિ મુજબ સમાત્પ થાય છે. હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધનુ વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં પિતરો માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન પિતરોની મુક્તિ માટે તેમના શ્રાદ્ધ કર્મ ઉપરાંત તેમના પ્રત્યે સન્માન પણ વ્યક્ત કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં શ્રદ્ધા અમ્બેએ પોતાના પિતૃ પક્ષ માટે જળ વિધાન બતાવ્યુ છે. આવામાં જાણો તર્પણ વિધિ, નિયમ, સામગ્રી અને મંત્ર વિશે. 
 
પિતૃ પક્ષ 2003 ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને ક્યારે થશે પુરો 
આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ અને પ્રતિપ્રદા શ્રાદ્ધ છે. પિતૃ પક્ષનુ સમાપન 14 ઓક્ટોબર શનિવારના રોજ થશે. પંચાગના મુજબ ભદ્રાપદ પૂર્ણિમા 29 સપ્ટેમ્બરના રોજ બપોરે  03:26 વાગ્યા સુધી છે અને ત્યારબાદ આસો મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિ શરૂ થઈ જશે જે 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 12.21 વાગ્યા સુધી છે. 
 
પિતૃ પક્ષમાં તર્પણ વિધિ 
 
- પિતૃ પક્ષના સમયે રોજ પિતરોને તર્પણ આપવુ  જોઈએ 
- તર્પણમાં ચોખા, કુશ, જવ અને કાળા તલનો પ્રયોગ કરવો જોઈએ 
- તર્પણ કર્યા બાદ પિતરોનુ તર્પણ કરી ક્ષમા પ્રાર્થના કરો. 
- પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનારા લોકોએ આ સાવધાની રાખવી  જોઈએ 
- પિતૃ પક્ષ દરમિયાન પિતરોની આત્માની શાંતિ માટે જે પણ શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે એ કરવા જોઈએ 
- પિતૃ પક્ષ દરમિયાન વાળ ન કપાવવા જોઈએ 
- પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સાત્વિક ભોજન જ બનાવવુ જોઈએ 
- તામસિક ભોજનથી એકદમ પરેજ કરવો જોઈએ. 
- પિતૃ પક્ષ દરમિયાન કરો આ ઉપાય 
 
- શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે પિતૃ પક્ષમાં સ્નાન, દાન અને તર્પણ વગેરેનુ વિશેષ મહત્વ હોય છે. 
- આ દરમિયાન શ્રાદ્ધ કર્મ કે પિંડદાન વગેરે કોઈ માહિતગાર વ્યક્તિ પાસે જ કરાવવુ જોઈએ. 
- સાથે જ કોઈ બ્રાહ્મણ કે ગરીબને ભોજન, ધન કે વસ્ત્રનુ દાન કરો. આવુ કરવાથી પિતરોના આશીર્વાદ મળે છે. 
-  પિતૃ પક્ષમાં પૂર્વજોના મૃત્યુ તિથિ મુજબ શ્રાદ્ધ કર્મ કે પિંડદાન કરવામાં આવે છે. 
- જો કોઈ વ્યક્તિએ પોતાના પૂર્વજોના મૃત્યુની તિથિ યાદ નથી તો ભાદરવા કૃષ્ણ પક્ષની અમાસના દિવસે આ અનુષ્ઠાન કરી શકે છે.  આવુ કરવાથી પણ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. 
 
પિતરોના શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો શુ કરવુ 
 
જો તમને તમારા પૂર્વજોના મૃત્યુની તારીખ ખબર ન હોય તો તમે તમારા બધા પૂર્વજોના મૃત્યુની તારીખ તેમના નામથી શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે બધાના નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ કરતા જ બધા પિતર પિતૃલોકમાંથી બહાર આવી જાય છે. તે પોતાના વંશજો પાસે જાય છે. તે ભૂખ્યા તરસ્યા છે અને પોતાના વંશજો પાસેથી ભોજન અને પાણી ની આશા રાખે છે. નિરાશ થાય તો શ્રાપ આપીને પરત જતા રહે છે. 
  
પિતૃ પક્ષમાં તિથિનુ મહત્વ 
જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે તો દરેક દિવસની એક તિથિ હોય છે. તિથિ મુજબ જ શ્રાદ્ધ કરવાનો નિયમ છે. દાખલા તરીકે  આ વર્ષે દ્વિતીયા તિથિ હોય છે,  તે પિતૃ પક્ષના બીજા દિવસે પોતાના પૂર્વજોનુ શ્રાદ્ધ કરે છે. આ જ રીતે પૂર્વજનુ મૃત્યુ પણ મહિના અને પક્ષની નવમી તિથિના રોજ થશે.  તેઓ પિતૃ પક્ષની નવમી શ્રાદ્ધ માટે તર્પણ, પિંડદાન્ન વગેરેની કામના કરે છે. 
 
પિતૃ પક્ષ 2023 શ્રાદ્ધની તિથિ મુજબ તારીખ 
 
પૂર્ણિમા શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
પ્રતિપદાનું શ્રાદ્ધ - 29 સપ્ટેમ્બર 2023
દ્વિતિયા શ્રાદ્ધ તારીખ- 30 સપ્ટેમ્બર 2023
તૃતીયા તિથિનું શ્રાદ્ધ- 1 ઓક્ટોબર 2023
ચતુર્થી તિથિ શ્રાદ્ધ- 2 ઓક્ટોબર 2023
પંચમી તિથિ શ્રાદ્ધ- 3 ઓક્ટોબર 2023
ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ- 4 ઓક્ટોબર 2023
સપ્તમી તિથિનું શ્રાદ્ધ- 5 ઓક્ટોબર 2023
અષ્ટમી તિથિનું શ્રાદ્ધ- 6 ઓક્ટોબર 2023
નવમી તિથિનું શ્રાદ્ધ- 7 ઓક્ટોબર 2023
દશમી તિથિનું શ્રાદ્ધ- 8 ઓક્ટોબર 2023
એકાદશીનું શ્રાદ્ધ તારીખ- 9 ઓક્ટોબર 2023
માઘ તિથિનું શ્રાદ્ધ- 10 ઓક્ટોબર 2023
દ્વાદશી તિથિનું શ્રાદ્ધ- 11 ઓક્ટોબર 2023
ત્રયોદશી તિથિનું શ્રાદ્ધ- 12 ઓક્ટોબર 2023
ચતુર્દશીનું શ્રાદ્ધ તારીખ- 13 ઓક્ટોબર 2023
સર્વપિત્રી મોક્ષ શ્રાદ્ધ તારીખ- 14 ઓક્ટોબર 2023
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments