Publish Date: Sun, 01 Sep 2019 (12:34 IST)
Updated Date: Wed, 11 Sep 2019 (14:20 IST)
પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તેમા અનેક લોકો શ્રાદ્ધ કરે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધમાં પિંડદાંન અને તર્પણ સાથે બ્રાહ્મણ ભોજન પણ કરાવવામાં આવે છે. આવુ કરવાથી પિતર તૃપ્ત થાય છે. પિંડદાન અને તર્પણમાં પિતરોને સંતુષ્ટ કરવા માટે જે જળ અને દૂધ આપવામાં આવે છે તેને હથેળીમં મુકીને અંગૂઠા દ્વારા આપવામાં આવે છે. જેનાથી પિતૃ પ્રસન્ના થાય છે. બીજી બાજુ પિતરો સુધી ભોજન પહોંચાડવા માટે કાગડા, કૂતરા અને ગાયને ભોજન કરાવવામાં આવે છે. આવી અનેક પરંપરાઓનુ આપણે પાલન કરતા આવ્યા છીએ પણ શુ આ પરંપરા પાછળ કારણ શુ છે તેના વિશે આપ જાણો છો.. તો ચાલો આજે શ્રાદ્ધ પક્ષની આવી જ કેટલીક પરંપરાઓ પાછળના કારણો વિશે જાણીએ