Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm- પૂજા પછી આરતી કેમ કરવામાં આવે છે ? આરતી કરવાના લાભ શુ છે

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (17:31 IST)
હિન્દૂ ધર્મનો એક સામાન્ય નિયમ છે કે જ્યારે પણ કોઈ દેવતાની પૂજા થાય છે ભલે તે ભગવાન વિષ્ણુની હોય કે લક્ષ્મીની અથવા શિવ પાર્વતીની દરેક પૂજા પછી કે પછી એમ કહો કે પૂજા સમાપન આરતી સાથે થાય છે. 
 
આરતીમાં દેવી-દેવતાઓનું નામનું ગુણગાન અને તેમનુ ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સંબંધિત દેવતા પ્રસન્ન થાય છે. 
 
પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ  એ બતાવે છે કે આરતી કરવી ખૂબ જ  ફાયદાકારક હોય છે. અને સૌથી મહત્વની વાત છે આરતીમાં પ્રયોગ થનારી સામગ્રી અને આરતી કરવાની રીત. 
 
આરતી કરતી વખતે મનમાં એવી ભાવના હોવી જોઈએ, જાણે એ પંચ પ્રાણોની મદદથી ઈશ્વરની આરતી ઉતારી રહ્યા હોય. ઘી ની જ્યોતિ યાચકની આત્માની જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. એક પાત્રમાં શુદ્ધ ઘી લઈને તેમાં વિષમ સંખ્યા (જેવા ત્રણ-પાંચ કે સાત) માં દિવાની વાટને પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. કપૂર દ્વારા પણ આરતી કરી શકીએ છીએ. 
 
સામાન્ય રીતે પાંચ વાટથી આરતી કરવામાં આવે છે. આરતીની થાળી કે દીવો (કે સહસ્ત્ર દીપ)ને ઈષ્ટ દેવની મૂર્તિની સામે ઉપરથી નીચે ગોળ ફેરવવામાં આવે છે.  ફેરવવાની પ્રક્રિયામાં જે વૃત્ત બને છે તે ઓમના સ્વરૂપની જેવુ હોવુ જોઈએ. 
 
આરતીના દીપકને હાજર ભક્ત સમુહમાં ફેરવવામાં આવે છે. લોકો પોતાના બંને હાથને નીચે ઉંઘા કરી જોડી લે છે. આરતીને ફેરવીને પોતાના માથે પર લગાવે છે. જેનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રત્યે પોતાનુ સમર્પણ અને પ્રેમ બતાવવાનું હોય છે.  
 
આરતીનો થાળ પીત્તળ, તાંબા, ચાંદી કે સોનાનો હોઈ શકે છે. દીવો ધાતુ, ભીની માટી કે ગૂંથેલા લોટનો હોય છે.  આ દીવો ગોળ કે પંચમુખી, સપ્તમુખી અથવા વધુ પણ હોઈ શકે છે. તેને તેલ કે શુદ્ધ ઘી દ્વારા રૂની વાટથી પ્રગટાવવામાં આવ્યો હોય છે. 
 
આરતી દીવામાં ઘી નો ઉપયોગ પણ કરી શકાય છે. આરતીમાં પાણી ભરેલુ કળશ, નારિયળ, મુદ્રા, તાંબાના સિક્કા ઉપરાંત નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓ કરતા વધુ હોય છે. તુલસીમાં વાતાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા વધુ હોય છે. તુલસી ચરણામૃતમાં પ્રસાદના રૂપમાં પણ મુકવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments