Publish Date: Sun, 21 Apr 2019 (15:01 IST)
Updated Date: Tue, 12 Nov 2019 (13:15 IST)
અક્ષય તૃતીયા કે અખાત્રીજના દિવસે બધા રોકાયેલા કામ પૂરા થઈ જાય છે. આ ખૂબ શુભ દિવા હોય છે. આ દિવસે માતા લક્ષ્મી બધા પર તેમની કૃપા વરસાવે છે. પણ તેની પૂજામાં કેટલીક ભૂલ કદાચ ન કરવી.
આ દિવસે ખરીદારીનો ખાસ મહત્વ હોય છે. તો આ દિવસે કઈક ન કઈક ખરીદીવું. આમ તો સોના ચાંદી ખરીદવાથી લાભ હોય છે પણ જો આ ખરીદી શકો તો વાસણ વગેરે પણ ખરીદી શકો છો. આવું ન કરવું અશુભ ગણાય છે.
આ દિવસે કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો જરૂર પ્રયોગ કરવું જોઈએ. પણ ધ્યાન રાખો કે નહાવા કે સાફ કપડા પહેર્યા પછી જ તુલસી તોડવી. નહી તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
આ દિવસે આમ તો માણસનો મન શાંત રહે છે. પણ માનવું છે કે આ દિવસે ગુસ્સા નહી કરવું જોઈએ. શાંત સ્વભાવથી જ બધાને મળીને રહેવું જોઈએ. શાંત મનથી લક્ષ્મી પૂજા કરવાથી તમને વધારે ફળ મળે છે.
આ દિવસે સાફ -સફાઈનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરના દરેક ખૂણાને સાફ કરવું જોઈએ. ગંદા સ્થાન પર પૂજા નહી કરવી જોઈએ. માતા માટે નવું સ્થાન પણ લગાવી શકો છો.
આમ તો વડીલનો આદર હમેશા જ કરવું જોઈએ પણ કોઈ માણસના મનમાં દ્વેષની ભાવના રાખે છે કે બીજાના બુરા કરવાનું વિચરે છે તો માતા લક્ષ્મી તેની પાસે ક્યારે નહી રોકાતી.
આ દિવસે દાન કરવાનું ખાસ મહત્વ હોય છે. જે પણ થઈ શકે પંડિત કે ગરીબોને દાન જરૂર આપો. આ દિવસે દાન આપવાથી કે ગરીબને ભોજન કરાવવું શુભ હોય છે. નહી તો તમારું જીવન પર નકારાત્મક અસર પડે છે.